Abtak Media Google News

જસદણ શહેરના ગીતા નગર રામવાડી ખાતે પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી દ્વારા આયોજિત તેમજ જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા જસદણના રાજવી દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચરના અધ્યક્ષ સ્થાને સર્વ જ્ઞાતિ સન્માન સમારોહ નું આયોજન કરાયું હતું જેમાં આઢારેય વર્ણના તમામ સમાજના પ્રમુખો ટ્રસ્ટીઓ વિવિધ ઍસસીઍસનના આગેવાનોને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા જસદણ સ્ટેટ સત્યજીત કુમાર ખાચર સાહેબે ફૂલડે વધાવીને તમામ સમાજના આગેવાનોને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા આ સમયે નાના મોટા સમાજ મા ભારે પ્રસંશા ગૌરવ સાથે  ભાવવિભોર થયા હતા.

આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાઍ જણાવ્યું હતું કે સદભાવના સમા સર્વ સમાજ સન્માન કાર્યક્રમ થકી આપણું ગામ તાલુકો શહેર તથા રાજ્યોને નવી દિશા મળશે પરસ્પર આપણા પણાની  ભાવનાઓ વધવાથી એક સુંદર ઍકતાનુ વાતાવરણ નો અભિગમ  ગુજરાત ભરમાં એક સારો સંદેશ જશે અને આ આયોજન જોઈ અને કચ્છના એક નાના ગામમાં આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરાયું હતુ તે સારી બાબત છે મંત્રી કુવરજીભાઈ બાવળીયા ઍ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કેબિનેટ મંત્રી તરીકે હું દરેક જિલ્લાના પ્રવાસે જાવ છું ત્યારે હું તમામને સર્વ જ્ઞાતિઓ સન્માન સમારોહ અને સર્વને સાથે લઈને ચાલવા પ્રેરણા આપીશ અને આ નાનકડા કાર્યક્રમની શરૂઆતથી આગામી દિવસોમાં ગુજરાત ભરમાં આ પ્રકારનું વાતાવરણ ઊભું થાય તે દીશામાં કાર્ય કરીશું આતકે સદભાવના સમાન સર્વ સમાજ સન્માનિત કાર્યક્રમની રાજવી દરબાર સાહેબ સત્જીત કુમાર ખાચરે પ્રસંશા કરી હતી.

આ કાર્યક્રમમાં ખાશ મારુતિ ધામ ગૌશાળાના પરમ પૂજ્ય સંત શ્રી છાસીયા બાપુ ઓમ નંદી બીમાર ગૌશાળા અને  શિવની ડેરીના મહંત પૂજ્ય 108 શ્રી ભાર્ગવ દાસ બાપુ રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ ભાવનાબેન બાવળીયા બાર એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ આચાર્ય સહિત તમામ સમાજના પ્રમુખો ટ્રસ્ટીઓ આગેવાનો વડીલો વિવિધ સંસ્થાઓ વિવિધ એસોસિયેશનો અને તમામ સમાજના ધુરંધર આગેવાનો આ ઉપરાંત મોટી સંખ્યામાં મહિલા આગેવાનો પણ ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમના અંતે અન્ન ભેગા ઍના મન ભેગા ની ભાવના સાથે સર્વો ઍ ભોજન પ્રસાદ લઇ છુટા પડયા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.