Abtak Media Google News

ગઇકાલે પોરબંદર મત વિસ્તારના પૂર્વ સાંસદ અને ખેડુતોના દિગ્જ નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાનું દુ:ખદ અવસાન થતા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરેલ હતી.

અમેરિકામાં કેલીફોનીયામાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ  રાદડીયાના અવસાના સમાચાર સાંળી દુ:ખદ વ્યકત કરતા ઉપલેટાના પૂર્વ સનિષ્ઠ ધારાસભ્ય પ્રવીણભાઇ માકડીયાએ જણાવેલ કે વિઠ્ઠલભાઇના દુ:ખદ અવસાનથી સૌરાષ્ટ્ર સહકારી ક્ષેત્રને મોટી ખોટ પડી છે. આ ખોટ કયારેય કોઇ પુરી નહિ કરી શકે છેલ્લા રપ વર્ષ થયા ખેડુતોના પ્રશ્ર્ન ગમે તેની સાથે તડફડ કરનાર વર્ષોમાં જાહેર જીવનમાં આ એક મરદ માનવી હતો. સૌરાષ્ટ્રના ખેડુતો કાયમ માટે વિઠ્ઠલભાઇને યાદ કરશે પોરબંદર મત વિસ્તારના પ્રશ્ર્નોની સાથે સાથે જીલ્લા બેક ને સઘ્ધર બનાવી સાથે ખેડુતોના હિત પણ જોયા છે. વધુમાં પ્રવીણભાઇ માકડીયાએ જણાવેલ કે રાજકીય જાહેર જીવનમાં પોરબંદર સંસદ સભ્યના નાતે ઉપલેટા ધારાસભા મત વિસ્તારના પ્રશ્ર્નો અને ખેડુતો માટે અનેક વખત મળવાનું૦ થતું ત્યારે તેઓ હમેશ ખેડુતોની ચિંતાની વાતો કરતા ઉપલેટા મારકેટીંગ યાર્ડના ચેરમેન તરીકે જયારે હું હતો ત્યારે અનેક ખેડતોના પ્રશ્ર્નો અમો સાથે મળી ઉકેલેલ હતા આવી અનેક યાદો વરસે ગઇકાલે વિઠ્ઠલભાઇના દુ:ખદ સમાચા સાંભળી ઘણું દુ:ખ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.