Abtak Media Google News

અગરિયા પરિવારોના બાળકો માટે ‘સ્કૂલ ઓન વ્હીલ’ પાયલોટ પ્રોજેકટનો આરંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અગરિયા વિસ્તારના શ્રમિકો-વાલીઓના બાળકોને પ્રારંભિક શિક્ષણ ઘરઆંગણે પૂરૂં પાડવાના પાયલોટ પ્રોજેકટ રૂપે સ્કૂલ ઓન વ્હીલ શાળાનો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો છે.

Advertisement

સર્વશિક્ષા અભિયાન દ્વારા આ હેતુસર રૂ ૩.પ૦ લાખના અંદાજીત ખર્ચે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બિનવપરાશી બસને મોબાઇલ શિક્ષણ સુવિધાી સજ્જ  કરવામાં આવી છે. આ સ્કૂલ ઓન વ્હીલમાં બારીઓમાં નવી ટેકનોલોજીના લુવર્સ લગાવવામાં આવ્યા છે જેથી રેતી કે પાણી અંદર પ્રવેશી ન શકે ઉપરાંત પીવીસી ફલોરીંગ, ગ્રીન બોર્ડ, ૩.૭ કે.વી.ની અપગ્રેડ સોલાર સિસ્ટમ, ર૯ ઇંચ ટી.વી., સેટઅપ બોકસ ૬ પંખા અને ૬ એલ.ઇ.ડી. લાઇટ, ફાયર એસ્ટિંગવિસર તથા પીવાના પાણી માટેની ટેન્ક, એક ખુરશી, ૧૮ રાઇટીંગ ડેસ્કની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. આ પ્રયોગ સફળ યેથી આગામી સમયમાં વધુ ૩૦ જેટલી બસોને જી.એસ.આર.ટી.સી.ના સહયોગી સ્કૂલ ઓન વ્હિલ પ્રોજેકટ તરીકે મોડિફાય કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

લગભગ ૧ર૦૦ જેટલાં બાળકોને તબક્કાવાર તેનો લાભ અપાશે. જ્યારે અગરિયા વિસ્તારના બાળકો પોતાની મૂળ શાળામાં જાય ત્યારે આ બસનો ઉપયોગ બીજા સ્ળાંતર કરતાં બાળકો માટે પણ કરી શકાશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સર્વ શિક્ષા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રાઇટ ટુ એજ્યુકેશન એકટની જોગવાઇ મુજબ ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોના નામાંકન, સયીકરણ, માળખાકીય સુવિધાઓ, ગુણવત્તાયુકત શિક્ષણ પૂરૂં પાડી તેમનંલ ધોરણ ૧ થી ૮નું પ્રારંભિક શિક્ષણ પૂરૂં પાડવાનો છે.

રાજ્યમાં ભૌગોલિકતા, સામાજિક અને વ્યવસાયિક વૈવિધ્યતાને કારણે કે વાલીઓના સ્ળાંતર જેવા કારણોી ખાસ કરીને અગરિયા વિસ્તારના જિલ્લાઓ કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભરૂચ જિલ્લાઓમાં વાલીઓ છ થી આઠ માસના સમયગાળા દરમિયાન અગરિયા વિસ્તારમાં કામગીરી માટે સ્થળાતર કરે છે.

રાજ્ય સરકારે સૌને માટે શિક્ષણ-સહજ, સરળ બનાવવાના ઉદાત ભાવી રાજ્યનું એક પણ બાળક શિક્ષણી વંચિત ન રહે તે સાથે અગરિયા વિસ્તારના સ્થળાતર કરતાં પરિવારના બાળકો પણ  શિક્ષણી વંચિત ના રહે અને કામના સ્થળેઅગરિયાના બાળકોને શિક્ષણની સુવિધા તેમજ ટેકનોલોજીના ઉપયોગી શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે સ્કૂલ ઓન વ્હિલ હરતી ફરતી શાળા પ્રોજેકટ પાયલોટ બેઝ પર શરૂ કર્યો છે.

સર્વ શિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇ-કન્ટેન્ટના ઉપયોગી સ્થળાતરના સમયગાળા દરમિયાન એટલે કે ઓકટોબરી એપ્રિલ માસ દરમિયાન અગરિયા વિસ્તારમાં બાળકો વાલી સાથે રહી શિક્ષણ પ્રાપ્ત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.