Abtak Media Google News

આ વર્ષ માટે સ્કોલરશીપ મેળવવા વિદ્યાર્થીઓ 9મી સુધી ઓનલાઈન અરજી કરી શકશે

ગુજરાત ન્યુઝ

તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ અથવા નિયત સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 માં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના” અમલમાં મુકવામાં આવેલ છે, જે અંતર્ગત દર વર્ષે રાજયના 25 હજાર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે. રાજકોટ જિલ્લાના 1054 જેટલા વિદ્યાર્થીઓ વર્ષ 2023ની પરીક્ષામાં સ્કોલરશીપ માટે પસંદગી પામ્યા હતાં.
આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે  મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર  દ્વારા આયોજિત કરવામાં આવે છે. ધોરણ- 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-8 નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. વધુમાં બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, 2009 (છઝઊ અભિ,ં 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, 2012 અન્વયે 6 થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવીને ધોરણ-8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
Whatsapp Image 2024 02 01 At 6.30.32 Pm
શિષ્યવૃત્તિ માટે પરીક્ષા દ્વારા પસંદ થયેલ વિદ્યાર્થીને સ્કોલરશીપનો લાભ ધોરણ 9થી શરૂ કરીને ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધી મળે છે. આ અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી નાપાસ થાય, શિક્ષણ છોડી દે કે ગંભીર શિસ્તભંગ કરે તો નિયમાનુસાર આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી. નિયત ધારાધોરણ મુજબની સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને ધોરણ 9 થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.22 હજાર તેમજ ધોરણ 11 થી 12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.રપ હજારની નાણાંકીય સહાય આપવામાં આવે છે.
સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને નિ:શુલ્ક અભ્યાસ ઉપરાંત ધોરણ 9થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.6 હજાર તેમજ ધોરણ 11થી 12નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.7 હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ વિધાર્થીઓને સ્કોલરશીપની રકમ ઉપરાંત મફત બસ પાસની સુવિધા પણ આપવામાં આવે છે.
આ પરીક્ષા માટે કોઈ ફી આપવાની રહેતી નથી. વિદ્યાર્થી નિ:શુલ્ક અંગ્રેજી કે ગુજરાતી પૈકી પોતે પસંદ કરેલ માધ્યમમાં પરીક્ષા આપી શકે છે. બૌદ્ધિક યોગ્યતા કસોટી (SAT) અંતર્ગત 40 પ્રશ્નો અને શૈક્ષણિક યોગ્યતા કસોટી(જઅઝ) અંતર્ગત 80 પ્રશ્નો એમ કુલ મળીને 120 એમ.સી.કયુ. પ્રકારનાં પ્રશ્નોના 150 મિનીટની સમય મર્યાદામાં જવાબ આપવાના હોય છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર હોય છે. બૌધ્ધિક યોગ્યતા કસોટીમાં એનાલોજી, વર્ગીકરણ, ન્યુમેરિકલ સીરીઝ, પેટર્ન, છુપાયેલી આકૃતિનાં ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો હોય છે. શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં ધોરણ-8ના અભ્યાસક્રમનાં ગણિત, વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી વિષયના પ્રશ્નો હોય છે.
આ પરીક્ષા માટે ફક્ત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે. આ માટે સરકારી તેમજ અનુદાનિત પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ શાળા દ્વારા http://sebexam.org/  પર અને સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ જાતે અથવા શાળા દ્વારા   https://schoolattendancegujarat.in/ પર ઓનલાઈન અરજી કરી શકે છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ   તા.09/02/2024 સુધીમાં અરજી કરી શકશે. આ યોજનાની પરીક્ષા 30 માર્ચ 2024ના રોજ લેવાશે. પરિણામ જાહેર થયા બાદ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની આખરી મેરીટ યાદી ઓનલાઇન જાહેર કરવામાં આવે છે. નિયામક, શાળાઓની કચેરી દ્વારા આ વિદ્યાર્થીઓની ખરાઈ કરીને સ્કોલરશીપની રકમ ડીબીટી દ્વારા તેમના ખાતામાં આપવામાં આવે છે.  આ યોજનાની વિસ્તૃત વિગતો https://gssyguj.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પરીક્ષા અંગેની અપડેટ્સ તેમજ પરિણામ અને મેરીટ લીસ્ટ http://sebexam.org વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવે છે. આ માટે સમયે સમયે વેબસાઈટની મુલાકાત લેવી. આ વર્ષે સ્કોલરશીપ માટે નવા લાયક વિદ્યાર્થીઓ 9 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.