Abtak Media Google News

૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે ૧૦૦ વાલીઓ પણ મહાપૂજામાં જોડાશે

શહેરનાં વોર્ડ નં.૧માં આવેલી નિધિ સ્કૂલ દ્વારા શ્રાવણ માસ નિમિતે શિવપૂજાનું આયોજન કરેલ છે. જેમાં ૪૦૦ થી વધારે વિદ્યાર્થીઓ અને ૧૦૦ જેટલા વાલીઓ શિવલિંગની પૂજા કરશે.

સ્કૂલના શિક્ષકો દ્વારા શિવલીંગનું ડેકોરેશન કરવામા આવશે. આમ વિદ્યાર્થીઓને શ્રાવણ માસમાં શિવજીની પૂજા કેવી રીતે કરાવી એ પણ શિખવવામાં આવશે. બીલીપત્ર, પંચામૃત, અને ગંગાજળ દ્વારા શિવલીંગનું પૂજન કરાવવામાં આવશે. તેમજ અમરનાથની ગૂફામાં રહેલ શિવલીંગની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે.

આ કાર્યક્રમ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, આશાબા જાડેજા, અર્ચનાબા જાડેજા, અદિતિ ભટ્ટ તેમજ નિધિ સમગ્ર પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને આ કાર્યક્રમનું માર્ગદર્શન મળે તે માટે સુંદર આયોજન કરેલ હોવાનું અબતકની મુલાકાત દરમિયાન જણાવાયું હતુ,.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.