Abtak Media Google News

વિધાનસભાની ચુંટણીને ગણતરીનાં મહીના બાકી છે. ત્યારે મહેસુલ વિભાગ દ્વારા રાજયનાં અલગ અલગ સ્થળોએ ફરજ બજાવતા ર4 મામલતદારોની બદલીના હુકમ કર્યા છે. રાજકોટ, જસદણ, લખતર, પોરબંદર અને ગીર સોમનાથ સહીત છ મામલતદારો પણ બદલાયા છે. વધુ વીગત મુજબ લાંબા સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા અને વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે.

ત્યારે મહેસુલ વિભાગ દ્વારા ર4 મામલતદારોની બદલીનાં હુકમ કર્યા છે. જેમાં  જસદણ ફરજ બજાવતા એસ.આર. ત્રીવેદીને ગાંધીનગર અને તેના સ્થાને રાજકોટ કલેકટર કચેરીના વી.આર. માકડીયાને, લખતર ખાતે ફરજ બજાવતા કુમારી વાય.વી. શાહને ગાંધીનગર તેમના સ્થાને સુરેન્દ્રનગર કલેકટર કચેરીના અધીક ચીટનીસ જી.એ. રાઠોડને, પોરબંદર ગ્રામ્યનાં એસ.એ. જાદવને પોરબંદર જન સંપર્ક અધીકારી તરીકે તેમના સ્થાને તાલાળાનાં શ્રીમતી બી.એચ. કુબાવતને , ભાવનગર કલેકટર કચેરીનાં ડી.એ. રવીયાને અમદાવાદ ખાતે , અમદાવાદનાં બી.જે. પંડયાને જામનગર મહાપાલીકામાં મધ્યાહન ભોજનમાં અને  હળવદનાં તત્કાલીન મામલતદાર એફ.એમ. માકડાને સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.