Abtak Media Google News

સૌરાષ્ટ્રનાં 14, સીએમ સિકયુરીટીના 11 અને 9 ચેતન કમાન્ડોનો સમાવેશ

રાજય પોલીસ દળમાં હથીયારી વિભાગમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા 78 પીએસઆઇને પીઆઇ તરીકે બઢતી આપી બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રનાં 14, સીએમ સીકયુરીટીનાં 11 અને ચેતન કમાન્ડોમાં 9 ફોજદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

રાજયનાં પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા હથીયાર વીભાગમાં ફરજ બજાવતા 78 પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપી બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જુથ 13 માં ફરજ બજાવતા જયરાજસીંહ જાડેજા, મહેન્દ્રભાઇ બોરીસાગર, શૈલેષભાઇ રબારી, રાજકોટ ગ્રામ્ય જયેશભાઇ ગજેરા, કીશોરસીંહ ઝાલા,   સુરેન્દ્રનગરનાં પ્રાગરાજસીંહ જાડેજા, પોરબંદરનાં પ્રતીપાલસીંહ ચુડાસમા, ભાવનગરનાં સંજયભાઇ ખમલ, દેવભુમી દ્વારકાનાં આશાબેન વદર, દેવભુમી દ્વારકાનાં નીરવ રાઠોડ, બોટાદનાં અશોકભાઇ મકવાણા અને ભાવનગરનાં નરેન્દ્રસીંહ સરવૈયા અને સીએમ સીકયુરીટીનાં 11 પીએસઆઇ તેમજ ચેતન કમાન્ડોમાં ફરજ બજાવતા 9 પીએસઆઇને બદલી સાથે બઢતી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.