Abtak Media Google News

શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ્’નું ઉદઘાટન અને આતશબાજીનો  પણ આરંભ કરશે

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર. પાટીલ આજે સાંજે રાજકોટ શહેરની મૂલાકાતે આવી રહ્યા છે.  તેઓનાં હસ્તે 150 ફૂટ રીંગરોડ પર શિતલ પાર્ક  મેઈન રોડ પર  અત્યાધુનિક શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’નું ઉદઘાટન કરશે.રેસકોર્ષમાં સાંજે કોર્પોરેશન દ્વારા યોજાનારી  આતશબાજીનો પણ આરંભ કરાવશે.

તાજેતરમાં  ગત 19મી ના રોજ રાજકોટ ખાતે યોજાયેલી  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની જંગી જાહેર સભા અને  વિશાળ રોડ-શોમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.  પાટીલ  કોઈ કારણોસર ઉપસ્થિત  ન રહેતા અનેક તર્ક-વિર્તક ઉભા થયા હતા જોકે ત્રણ જ દિવસના   અંતરાલ બાદ આજે સી.આર.પાટીલ રાજકોટની મૂલાકાતે આવી રહ્યા છે. સાંજે 5 કલાકે તેઓનું રાજકોટ ખાતે  આગમન થશે.શહેરના 150 ફૂટ રીંગરોડ પર શિતલ પાર્ક મેઈનરોડ પર  અદ્યતન  શહેર ભાજપ કાર્યાલયનું નિમાણ કરવામાં આવ્યું છે. જેનું પ્રદેશ અધ્યક્ષના હસ્તે ઉદઘાટન કરવામાં

આવશે. ત્યારબાદ  તેઓ કાર્યકર્તાઓને સંબોધશે. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે તમામ  પૂર્વ પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ પૂર્વ કોર્પોરેટર સહિતના પક્ષના  પાયાના કાર્યકરો અને આગેવાનોને આમંત્રીત  કરાયા છે.

શહેર ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કયા બાદ સી.આર. પાટીલ રેસકોર્ષ  સ્થિત  માધવરાવ સિંધિયા  ક્રિકેટ  ગ્રાઉન્ડ ખાતે   રાજકોટ મહાનગરપાલીકા આયોજીત આતશબાજીનો આરંભ કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.