Abtak Media Google News

તબીબો અને સરકાર વચ્ચેની મોડી રાત સુધી મંત્રણાના અંતે તા.26 ડિસેમ્બર બાદ 10 હજાર તબીબો આંદોલન આગળ ધપાવશે

પડતર પ્રશ્ર્નોનો નિકાલ આવ્યો નથી ત્યાં પગાર કપાતા તબીબોએ હડતાલ શરૂ કરી હતી

 

અબતક,રાજકોટ

પડતર પ્રશ્નો અને પગાર કપાતના પ્રશ્નોનોને લઇ તબીબી શિક્ષકો,ક્લાસ-2મેડિકલ ઓફિસર અને ઈન સર્વિસ ડોકટરો તેમજ જીએમઈઆરએસ કોલેજના શિક્ષકો સહિતના ચારેય ફોરમે એક થઇ ગુજરાત ડોક્ટર્સ ફોરમની રચના કરી 10હજાર તબીબો હડતાલ પર ઉતર્યા હતા.અને જેમાં આજ રોજથી સંપૂર્ણ હડતાલ પર ઉતારવાના હતા.પરંતુ સરકાર સાથેની બેઠક બાદ સિનિયર તબીબો દ્વારા 15 દિવસ માટે હડતાળને મોકૂફ રાખવામાં આવી છે.

પોતાની પડતર અને ખેંચેલા લાભો પરત મેળવવા માટે તબીબો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી અને તેમાં થોડા દિવસ પહેલા જ તબીબોએ મુખ્યમંત્રીને આવેદન આપ્યું હતું અને 13મી એટલે કે આજથી સંપૂર્ણ હડતાલ પર જવાનું જણાવ્યું હતું પરંતુ રાત્રિથી ચાલતી બંધ બારણાની મીટીંગ બાદ 15 દિવસ હડતાલ મોકૂફ રાખવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,જો 10હજાર તબીબો આજથી હડતાલ પર ઉતર્યા હોત તો તબિબી ક્ષેત્રે વ્યવસ્થા ખોરવાત અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડત પરંતુ મીટીંગ બાદ લેવાયેલ નિર્ણયથી આ પરિસ્થિતિ હાલ નહીં સર્જાય અને બધા તબીબો પોતાની ફરજ ચાલુ રાખી છે.

હડતાળને લઇ રાજકોટની વાત કરવામાં આવે તો પીડીયું મેડીકલ કોલેજના 180 તબીબ શિક્ષકો અને રાજકોટ જિલ્લાના 150  સરકારી તબીબો એટલે કે 330 તબીબો દ્વારા પ્રશ્ર્નોને લઇ હડતાલ કરવામાં આવી હતી.અને રાજકોટ સિવિલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.જેમાં તેમના દ્વારા પીડીયું કોલેજ પોર્ચ થી રેલી કાઢી તબીબી અધિક્ષક આર.એસ.ત્રિવેદીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.બાદ  કોવિડ બિલ્ડીંગ પાસે બેસી રામધુન ગઈ અને મહા રેલી કરી કલેક્ટરને આવેદન પત્ર આપી વિરિદ્ધ પ્રદશન કરવામાં આવ્યો હતો.

થોડા દિવસો પૂર્વે સરકારી તબીબ ક્ષેત્રે અને સિવીલ હોસ્પિટલમાં જાણે હડતાલનો દોર ચાલી રહ્યો હોય જેવા દ્રશ્યો સામે આવ્યા હતા . તબીબો દ્વારા પોતાના પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. 10000 તબીબો દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમની રચના કરી પોતાના સળગતા પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી હતી.અને સાથે રેસિડેન્ટ તબીબો દ્વારા પણ પોતાની માંગણીઓ જેવી કે નીટ-પીજીની કાઉન્સિલિંગની પ્રક્રિયા વહેલી તકે આરંભ કરાવવા માટે હડતાલ પડી અને વિરોધ પ્રદર્સન કરવામાં આવી રહ્યો હતો.તેની સાથે સિનિયર તબીબો હડતાલ પર ઉતર્યા હતા જેથી હડતાળના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.જેમાં સરકારે પ્રથમ રેસિડેન્ટ તબીબો સાથે બેઠક કરી તેમની હડતાલ પાછળ ધપાવી હતી.અને બાદ ગઈ કાલ રાત્રે સિનિયર ડોક્ટરો સાથે બંધ બારણે બેઠક કરી તેઓની હડતાલ પર 15 દિવસ એટલે કે તા.26 સુધી મૂકોફ રાખવી માંગણીઓ પૂર્ણ કરવા સમય માંગ્યો છે.જો તેના પછી પણ માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો ફરી ઉગ્ર વિરોધ કરી હડતાલ પ્રારંભ કરવામાં આવશે તેવું સિનિયર તબીબોએ જણાવ્યું છે.

સિનિયર તબીબોની મુખ્ય માંગણીઓ

તબીબીની મુખ્ય માઁગણીઓમાં જેવી કે, એડહોક સેવા વિનીમીયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, 1પ ટકા સીનીયર ટપુટરો ને ત્રીજા ટીકુનો લાભ આપવો જેવી વગેરે માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી આ ઉપરાંત તા. રર-11 ના એક નવો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં મહત્તમ પગાર 2,37,500/- થી ઘટાડી 2,24,500 કરવામાં આવ્યો છે. અને 2012માં મોદી સરકારે આપેલ પર્સનલ પેનો લાભ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.અને નવો ઠરાવ બહાર પાડી મહત્તમ પગાર મર્યાદા 2,24,500 કરવામાં આવી છે.આ માંગણીઓને લઇને મેડિકલના તમામ સંગઠનો એક થતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.