Abtak Media Google News

રાજ્યમાં આપઘતાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાક લોકો આર્થીક સંક્રામણને લઈને આપઘાત કરી રહ્યા છે તો કેટલાક લોકો ઘરકંકાસ કારણે. ત્યારે આજે બે મોટા શહેરમાં આ આપઘાત બનાવ સામે આવ્યા છે. સુરતના પાંડેસરા રહેતો એન અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા યુવાને આજે પારિવારિક ઝગડાને લઈને આ યુવાને આપઘાત કરવાનું વિચારીને ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. તો વડોદરામાં વધુ એક આપઘાત નો બનાવ બનતા સનસનાટી વ્યાપી છે.

Advertisement

વડોદરાના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

વડોદરામાં વધુ એક આપઘાત નો બનાવ બનતા સનસનાટી વ્યાપી છે. થોડા દિવસ પહેલો જ સોની પરિવારના 6 લોકોએ ઝેરી દવા ગટગટાવીના સામુહિક આપઘાત કર્યો હતો. હવે જે બનાવ બન્યો છે તેમાં એક યુવકે આપઘાત કરી લીધો છે. ઉપરાંત યુવકની માતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે.

332E953D Da54 4261 9B55 0D2330992D08

યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે તો તેની માતાએ કેનાલમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે, સ્થાનિક લોકોએ યુવકની માતાને બચાવી લીધી હતી. યુવકે આપઘાત પહેલા એક સુસાઇડ નોટ લખી છે. આ સુસાઇડ નોટમાં તેણે પોતાની પત્ની અને સાસરિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. યુવકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “આ મારો આપઘાત નહીં પરંતુ હત્યા છે. મારા મોત બાદ મારી પત્ની અને તેના મા-બાપને સજા કરાવજો.”

સુરતના યુવાને પારિવારિક ઝગડાને લઈને આપઘાત કર્યો

સુરતના પાંડેસરા રહેતો એન અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા યુવાને આજે પારિવારિક ઝગડાને લઈને હેરાન પરેશાન આ યુવાને આપઘાત કરવાનું વિચારીને ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. આ યુવાન ખીસામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી તેમાં બહેનના નંબર સાથે તેનો મૃતદેહ તેની પત્નીને આપવો નહીં હોવાનું લખવામાં આવ્યુ હતું. જોકે આ ઘટના પગલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે પરિવારના યુવાનના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

2E22F3Dc 0Dbb 4850 A353 50835651B201

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.