Abtak Media Google News

સુમિત ઠાકુરે પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી તરીકેનો કાર્યભાર ચર્ચગેટ સ્ટેશન બિલ્ડીંગ સ્થિત તેમની ઓફીસમાં સંભાળ્યો હતો ઠાકુર ૨૦૧૦ની બેચના ઈન્ડીયન રેલવે સર્વીસ ઓફ એન્જીનીયરીંગ ઓફ ૨૦૧૦ની બેચના અધિકારી છે તેમને પશ્ર્ચિમ રેલવે ના મુખ્ય સેન્ટ્રલ ડીવીઝનના સીનીયર ડીવીજનલ એન્જીનીયર સાઉથ તરીકે ટ્રેક મેન્ટેનન્સ અને મોન્સૂન સીઝનમાં સ્મૂથ ઓપરેશન ઓફ મુંબઈ સબર્બન ટ્રેન જેવા વિભિન્ન મહત્વપૂર્ણ અસાઈનમેન્ટ પર કાર્યકર્યું છે.સીનીયર ડીવીજનલ એન્જીનીયર સાઉથના પદ પર કાર્ય કરતા પશ્ર્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય ખંડ પર વર્ષ ૨૦૧૮ થી ૨૦૧૯ દરમિયાન પૂરના સ્પોટસની યોગ્ય ઓળખ કરી ને તેના કસ્ટમાઈઝડ સોલ્યુશન્સ સાથે ફિકિસ કર્યા હતા તે બદલ પ્રશાસન દ્વારા અલગ અલગ સ્ત પર તેમના પ્રયત્નો ને એપ્રીસીએટ કરવામાં આવ્યા હતા. ઠાકુરે ઉત્તમ એન્જિનીયરીંગ સ્ટાંડર્ડ અને સિસ્ટમેટીક પ્લાનીંગ બ્લોક દ્વારા ટ્રકે મેન્ટેનન્સ સાથે લોકલ ટ્રેનોની રાઈડીંગ કવોલિટી ઈપ્રુવ કરવા માટે અગત્યનું યોગદાન આપ્યું છે. તેમને વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૯માં બે વાર પ્રખ્યાત જીએમ પૂરસ્કાર સહિત વિવિધ પ્રતિષ્ઠિતા પુરસ્કારો જીત્યા છે. ઠાકુરે ૨૦૦૯માં પ્રતિષ્ઠિત નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, પટનાથી સિવિલ એન્જીનીયરીંગમાં બીટેક પૂર્ણ કર્યું છે. તેમણે વર્ષ ૨૦૧૨માં પશ્ર્ચિમ રેલવેનાં મુંબઈ સેન્ટ્રલ ડીવીઝનના સહાયક મંડળ એન્જીનીયરીંગ તરીકે રેલવે સેવા માં જોડાયા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.