Abtak Media Google News

સુરત મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિગ ચેરમેન સહિત અન્ય પદો પર નવા નેતાઓની વરણી કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે ડો. જગદીશ પટેલ, ડે. મેયર તરીકે નીરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન તરીકે અનિલ ગોપલાણી અને શાસક પક્ષના નેતા તરીકે ગિરજાશંકર મિશ્રાની નિમણૂંક કરવામાં આવી છે.

મેયર તરીકે સૌરાષ્ટ્ર અને મૂળ સુરતી વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. જેમાં મેયર પદે સૌરાષ્ટ્રવાસી ડો. જગદીશ પટેલની નિમણૂંક કરાઈ છે. જ્યારે ડે. મેયર તરીકે મૂળ સુરતી નીરવ શાહની વરણી કરવામાં આવી છે.

તેવી જ રીતે સ્થાયી સમિતિ ચેરમેન તરીકે સૌરાષ્ટ્રવાસી અનિલ ગોપલાણી નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ગિરજાશંકર મિશ્રાની વરણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.