Abtak Media Google News

સુરત સમાચાર

ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને  તાલુકામાં બસ સ્ટેશન અને બસ સ્વચ્છતા અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે .સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા સફાઈ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે . શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ એસટી બસમાં ઝાડુ લગાવી બસની સફાઈ કરી હતી અને લોકોએ પણ શિક્ષણ મંત્રીની ઉમદા કામગીરીને બિરદાવી હતી . Screenshot 3

Advertisement

મંત્રી પ્રફુલ પાનસેરીયાએ લોકોને પણ બસમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવાની અપીલ કરી હતી . બસમાં સફાઈ કામગીરી કરતા મહિલા કર્મચારીને શિક્ષણ મંત્રીએ નમન કર્યા હતા . સુરત એસ ટી નિગમના કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાયા .Screenshot 2

” આવી દાદાની સવારી એસટી અમારી “ના સ્લોગનો સાથેના બેનરો લગાવાયા હતા . સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સવારથી જ સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સફાઈ કરાઈ હતી .

ભાવેશ ઉપાધ્યાય

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.