Abtak Media Google News

ફિલ્મ પદ્માવતીના વિરોધ આજ રોજ સુરતના વનિતા વિશ્રામથી રાજપુત સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો પણ જોડાયા છે. જેમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

રાજપુતોની નીકળી મહારેલી

ફિલ્મ નિર્માતા સંજય લીલી ભણશાલીની ફિલ્મ પદ્માવતી રિલિઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મ રિલિઝ થવાને નજીક છે ત્યારે વિરોધ ઉગ્ર બનતો જાય છે. સુરતમાં વનિતા વિશ્રામ ખાતે મોટી સંખ્યામાં રાજપુત સમાજના લોકો એકઠા થયા હતા. અને પદ્માવતી ફિલ્મના વિરોધમાં મહારેલી યોજી હતી. જેમાં વિવિધ હિન્દુ સંગઠન પણ જોડાયા હતા. રેલી વનિતા વિશ્રામથી નીકળી કલેક્ટર કચેરીઓ આવેદન પત્ર આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.