Abtak Media Google News

લીંબડી તાલુકાના બોરાળા ગામ ખાતે યુવાને ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેન હેઠળ ઝંપલાવી અને આત્મહત્યા કરી લેવાનો બનાવ બન્યો હતો ત્યારે રેલવે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરતાં આ યુવાન બોરાણા ગામ નો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું ત્યારે પરિવારજનો ને જાણકારી આપતા પરિવારજનો રેલવે ટ્રેક પર દોડી આવ્યા હતા

Advertisement

પોલીસ દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરાણા ગામે રહેતા ગૌતમભાઈ કાનજીભાઇ રાઠોડ ઉંમર વર્ષ 33 વાળાએ પોતે ટીબી બીમારીથી પીડાતા ત્યારે બીમારીથી કંટાળી અને ભાવનગર થી સુરેન્દ્રનગર તરફ આવતી ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેન હેઠળ ઝંપલાવી અને આત્મહત્યા કરી લીધી હતી ત્યારે પરિવારજનો ને જાણકારી આપતા ઘટનાસ્થળે દોડી આવી અને બિમારીથી પિડાતા હોવાનું નિવેદન આપી અને પીએમ માટે લીમડી ખસેડવામાં આવ્યો હતો આમ બીમારીથી કંટાળી અને યુવાને આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.