Abtak Media Google News

સ્વામિનારાયણ ગુરુકુલના વિકાસમાં જેમનો મોટો ફાળો રહેલ એવા માતૃવાત્સલ્ય પરિપૂર્ણ,અ.નિ. પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની ૩૩ મી પુણ્ય તીથિ પ્રસંગે, એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિતમાં પ્રાથના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કાર્યક્રમની શરુઆતમાં ધૂન ભજન બાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, આદ્રોજા લક્ષ્મણભાઇ,  કિડેચા છનગભાઇ, પરશોત્તમભાઇ બોડા અને કાંતિ ભગતે પુરાણી સ્વામીના જીવન પ્રસંગો યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ભરતભાઇ અંબાસણા,  પાટડીયા પ્રદીપભાઇ ટાંક, વિજયભાઇ સોની વગેરે દેવ ઉત્સવ મંડળના સભ્યોએ સંત સમાગમના કિર્તનો ગાઇ પુરાણી સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પી  હતી. આ પ્રસંગે રાજકોટી જયંતીભાઇ કાચા, જગદીશભાઇ મકવાણા, ગોવિંદભાઇ કાચા, હરિસિંહભાઇ ગોહિલ, મનસુખભાઇ ભૂંગાણી તેમજ રીબડા, રીબ, ગુંદાસરા, પારડી, વાવડી, વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભકતોએ હાજરી આપી હતી. કાર્યક્રમની તમામ વ્યવસ રીબડા ગુરુકુલના સંચાલક સ્વામી ધર્મવત્સલદાસજીએ સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.