Abtak Media Google News

આપણુ જીવન ‘જીવ’ રૂપે ગર્ભમાં આવ્યા પહેલા જ વિહિપન્ન સંસ્કારો, સંસ્કૃતિ-સભ્યતા દ્વારા શુધ્ધ કરવામાં આવે છે. તેમજ આપણા પ્રાચીન આચાર્યાએ લગ્નના બંધનમાં બંધાયેલા નવદંપતિને સંસ્કારિત કરી તેને ગર્ભ રોકાય તે માટે પુંસવન સંસ્કારનું કરી તેને આવ્યુ છે પુંસવન સંસ્કાર પછી જ્યારે પરણેતર પહેલીવાર ગર્ભવતી બને છે ત્યારે તેને યોગ્ય સંભાળની આવશ્યકતા પડે છે.આયુર્વેદના રચયિતાન આચાર્ય ચર કે પોતાની ર્સહિતામાં આને નવમાસ ચિકિત્સાના ‚પે વર્ણવતા દરેક મહિને ગર્ભવતીની સંભાળ માટે દૈનિક દિનચર્યા, આહાર-વિહારનું વર્ણન કર્યુ છે.

૧- પહેલો મહિનો :

જ્યારે ખબર પડે કે સ્ત્રી ગર્ભવતી થઇ છે તો તેના લક્ષણ પ્રગટ થતા જ પ્રાતા કાળે સાકર મેળવેલ દૂધ આપવુ શ‚ કરવુ જોઇએ.

  •  સવારના ૧ ચમચી માખણક
  •  ૧ ચમચી સાકર
  • ૧ ચમચી કાળા મરી (વાટેલા) આપવુ.
  •  નાળિયેરની ગરી અને વરિયાળી ભેળવી ચાવવુ જોઇએ

આ પ્રયોગથી ગર્ભમાનુ શિશુ જ રૂર ગોરુ થશે.

૨- બીજો મહિનો

બીજો મહિનો આરંભ થતા જ દૂધ સાથે ૧૦ ગ્રામ શતાવરી ચુરણને સાકાર સાથે ઉકાળી સારવાર સાંજે લેવુ જોઇએ.

૩- ત્રીજો મહિનો

ત્રીજો મહિને ૧ ચમચી શુધ્ધ ઘીમાં ૩ ચમચી મધ મેળવી એક ગ્લાસ દૂધ સાથે સવાર-સાંજ પીવુ જોઇએ.

૪- ચોથો મહિનો

ચોથા મહિને દૂધ સાથે તાજુ માખણ વાપરો (દૂધ સાથે ઘી લેવુ બંધ કરી દો)

૫- પાંચમો મહિનો

પાંચમા મહિને કેવળ દૂધ સાથે ઘી મેળવીને લેવુ જોઇએ.

૬- છઠ્ઠો મહિનો

આ મહિને દૂધ, શતાવરનુ ચુરણ અને સાકર અને મિક્સ કરીને  લેવુ જોઇએ.

૭- સાતમો મહિનો

આ મહિને શતાવર ચુરણ તથા સાકરને દૂધમાં મેળવીને પીવુ જોઇએ.

ગર્ભવતીએ દરરોજ પોષક આહાર લેતા પોતાના ઉઠવા-બેસવા ચાલવા, હસવાનો ખ્યાલ રાખતા સુુખ અને દુ:ખનું ધ્યાન રાખતા, નિયમ-સંયમથી રહેવુ જોઇએ. કારણકે આપણા દરેક વ્યવહાર અને ગતિવિધિનો પ્રભાવ ગર્ભ પર પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.