Abtak Media Google News

મધ્યપ્રદેશથી ખેત મજુરીએ આવેલા દંપત્તી વચ્ચેના ઝઘડાનો કરૂણ અંજામ: તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ઢીમઢાળી દીધું

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ખેત મજુરી માટે આવેલા મધ્યપ્રદેશના દંપત્તી વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યાનું ટંકારા પોલીસમાં નોંધાયું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાવરા ગામની રાયાબેન સુબાભાઇ વસુનીયા નામની 33 વર્ષની આદિવાસી પરિણીતાની લોહીથી ખર્ડાયેલી હાલતમાં લાશ લઇને રફીકભાઇ જુસબભાઇ ભાણું ટંકારા હોસ્પિટલ લઇ જતા તેણીનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.

Advertisement

હોસ્પિટલ તંત્ર દ્વારા કલ્યાણપર ગામે રાયાબેન આદિવાસીની હત્યા અંગેની ટંકારા પોલીસ સ્ટાફને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. એચ.આર.હેરભા સહિતના સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતક રાયાબેન આદિવાસીના પોસ્ટમોર્ટમ માટે જરૂરી કાર્યવાહી કરી તપાસ શરૂ કરતા રાયાબેન અને તેણીના પતિ સુબાભાઇ કલ્યાણપર ગામે રફીકભાઇ જુસબભાઇની વાડીએ મજુરી કામે આવ્યા છે. ગતરાતે બંને વચ્ચે ઝઘડો થતા સુબાભાઇ વેસ્તાભાઇ વસુનીયાએ પોતાની પત્ની રાયાબેન પર હુમલો કરતા મોત નીપજ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે મૃતક રાયાબેન વસુનિયાના પતિ સુબાભાઇ વેસ્તાભાઇ વસુનિયા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.