Abtak Media Google News

કોવિડ-૧૯ના ટેસ્ટ  સરકારના માન્યદરે ટેસ્ટીંગ કરી અપાશે: કુલપતિ જી.ટી.યુ

તાજેતરમાં જ  ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ  દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-૧૯ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (છઙઝઈછ) ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો.ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે ,  પેન્ડામિક સમયમાં પણ જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવેલા છે.  ઈંઈખછ દ્વારા કોવિડ-૧૯ના ટેસ્ટ માટેની મંજૂરી મળવાથી સરકારના માન્યદરે ટેસ્ટીંગ કરી આપવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેરે માન્યતા મળતાં જણાવ્યું હતું કે ,જીટીયુ આ મહામારીમાં સરકારને દરેક પ્રકારે મદદરૂપ થવા માટે સતત કાર્યરત રહશે.

Img 20210219 Wa0008

આગામી સમયમાં હિપેટાઈટીસ બી, ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લૂ અને કેન્સર તથા એચઆઈવી જેવા ભયંકર રોગનું પણ પરીક્ષણ કરી શકાશે

આ સંદર્ભે વધુમાં જીટીયુ અટલ ઈન્ક્યૂબેશન સેન્ટર(અઈંઈ)ના સીઈઓ ડો. વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરીમાં તમામ પ્રકારના ધરાધરોને ધ્યાનમાં રાખીને તથા તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરીને જીટીયુ દ્વારા  ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દિલ્હી ખાતે અરજી કરવામાં આવી હતી. તમામ પ્રકારના નિયમોનુસાર જીટીયુ લેબ કાર્યરત હોવાથી ટેસ્ટીગ સંબધીત કાર્ય માટે આઈસીએમઆર દ્વારા પહેલાથી જ ટેસ્ટ કરેલાં ૬ સેમ્પલ જીટીયુની લેબમાં ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતાં. જેના પરીણામ સ્વરૂપ જીટીયુની બાયો સેફ્ટી લેબ અને આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલ તમામ ૬ સેમ્પલનું પરીણામ સમાન આવ્યું હતું. આ અનુસંધાને આઈસીએમઆર દ્વારા જીટીયુની બાયો સેફ્ટી લેબને છઙઝઈછ ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી.  વધુમાં જણાવતાં તેઓએ કહ્યું હતું કે, આગામી સમયમાં હિપેટાઈટીસ  બી , હિપેટાઈટીસ સી , ડેન્ગ્યુ , સ્વાઈન ફ્લૂ અને કેન્સર તથા એચઆઈવી જેવા ભયંકર રોગનું પણ પરીક્ષણ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.