Abtak Media Google News

અદાણી પોર્ટની ટીમે ફરી એકવાર સંકટ સમયની સાંકળ બની પ્રસંશનીય કામગીરી બજાવી છે. મુન્દ્રાનાઝીરો પોઈન્ટ નજીક લાગેલી આગ પર નિયંત્રણ મેળવી 11 જીંદગીઓનો આબાદ બચાવ કર્યો છે.અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ  ના અગ્નિશામક વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 9 લોકોનો જીવ બચાવ્યા હતા.

શોર્ટ સર્કીટથી લાગેલી આગ વિકરાળ રૂપ લે તે પહેલા જ સફળ જીવન બચાવ કામગીરી

મુન્દ્રા ઝીરો પોઇન્ટ નજીક મોડીરાત્રે શોર્ટસર્કિટથીઆગ લાગવાનો બનાવ બન્યો હતો. જોતજોતામાં આગેવિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. ભયંકર ધુમાડાના ગોટેગોટા ચારેકોર પ્રસરી જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. વળીઆગ અને ધુમાડાના કારણે બિલ્ડીંગમાં ફસાયેલા લોકોના જીવ જોખમમાં આવી ગયા હતા.

આશિષ આર્કેડ બિલ્ડીંગ્સની આસપાસના લોકો માથે પણ આગ વિસ્તારવાનું સંકટ મંડરાઈ રહ્યું હતું. તેવામાં અદાણી ફાયરસેફ્ટીની ટીમને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક તંત્રની મદદથી ફાયર સેફ્ટીની ટીમે કાબીલેદાદ કામગીરી કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયર ટીમ સામે પડકાર એ હતો કે તેઓ અંદર જઈ શકતા નહતા કારણ કે આગ બિલ્ડીંગનાગેટ પર જ લાગી હતી. જો કે સમજદારીપૂર્વક બારીમાંથી નિરસણી થકીબિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી તેમને બચાવી લેવાયા હતા.

અદાણી ફાયર સેફ્ટી વિભાગે મુશ્કેલીમાં મુકાયેલી 11 વ્યક્તિઓને સફળતાપૂર્વક બચાવી હતી. તેઓએ ફાયર સર્વિસીસની પોર્ટેબલ સીડી દ્વારા 7 યુવાનોને બહાર કાઢ્યા હતા અને બે ફાયર ઓપરેટર ને શ્વસન ઉપકરણ સાથે મોકલ્યા હતા જે ફસાયેલા એક પરિવારને સહાય પૂરી પાડવા માટે મદદરૂપ બન્યા હતાઅને હિંમતપૂર્વક બે બાળકો સહિત એક પરિવાર (પતિ અને પત્ની)ને જોખમી પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા હતા.

આગ પર નિયંત્રણ મેળવવા9 કિલોગ્રામ ડ્રાયકેમિકલ, અગ્નિશામક અને 2 4.5 કિલોગ્રામકાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામકનો પ્રયોગ કરાયો હતો.

આગ લાગવાની મુશ્કેલ પરિસ્થિતીમાં જો  જરાય મોડુ થયું હોત તો,11લોકોના જીવ સામે મોટુ જોખમ ઉભુ થવાની પૂરેપૂરી શક્યતાઓ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.