Abtak Media Google News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ ભરતસિંહ સોલંકીની સુચના મુજબ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન બળદેવજી ઠાકોર (ધારાસભ્ય)ના આદેશ મુજબ રાજકોટના રહીશ મોહનભાઈ સગરામભાઈ સિંધવને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. (બક્ષીપંચ) વિભાગના મહામંત્રી તરીકે નિમણુક કરવામાં આવેલ છે.

Advertisement

જે નિમણુકને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા તથા રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજગુરુ તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી ડો.હેમાંગભાઈ વસાવડા તથા ગુજરાત કોંગ્રેસ મંત્રી મહેશભાઈ રાજપુત તથા ગુજરાત પ્રદેશ મંત્રી ડી.પી.મકવાણા તથા કોંગ્રેસ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી તથા રાજકોટ મ્યુ.કોર્પોરેશન વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા તથા રાજકોટ શહેર કોંગ્રેસના તમામ કોર્પોરેટરો તથા ફ્રન્ટલ સેલના પ્રમુખો તથા તમામ વોર્ડના વોર્ડ પ્રમુખો વિગેરેએ આવકારી શુભેચ્છા પાઠવી છે.

અબતકની મુલાકાતે આવેલા મોહનભાઈ સિંઘવે કહ્યું હતું કે ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓના સંગઠનને વધુ મજબુત બનાવવામાં આવશે. તેમજ ઓબીસી સમાજના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટેના તમામ પ્રયત્નો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.