Abtak Media Google News

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના પગલે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થઇ થયો છે. માવઠું થવાની સંભાવનાને લઇને ખેડૂતોમાં ચિંતા થઈ રહી છે. હવામાનમાં પલટાનું કારણ સાયક્લોનિક સરક્યૂલેશન છે.

સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાતા ઠંડીમાં આંશીક રાહત થઇ છે. છેલ્લા બે દિવસથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો ઉચકાતાં હાડ થીજવતી ઠંડીમાં નજીવો ઘટાડો નોંધાયો છે.

દિવસે ફૂંકાતા ઠંડા પવનનું જોર પણ ઘટ્યું છે. આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતાઓ નહિવત હોવા શક્યતા છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાદળછાયું વાતાવરણ સર્જાતા માવઠું થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે. તો ઠંડીમાંથી રાહત મળવાના કારણે રાહતની લાગણી પણ જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.