Abtak Media Google News

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ ૧૪મી જાન્યુઆરીથી ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિનઅનામત રીતે આર્થિક નબળા વર્ગોને 10 ટકા અનામતનાં લાભ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સવર્ણોને 10 ટકા અનામતના બિલ પર રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં જ વિજય રૂપાણીની સરકારે અમલની તુરત જ જાહેરાત કરી છે. આ સાથે જ ગુજરાત આ નિર્ણયનો અમલ કરનારું પહેલું રાજ્ય બનશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે,14મી જાન્યુઆરી 2019ના મકરસંક્રાંતિથી રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં બિનઅનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગને 10 ટકા અનામતનો લાભ મળતો થશે. આ હેતુથી 14મી જાન્યુઆરી પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઈ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઈ હોય તેને આ લાભ મળવાપાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ 10 ટકા અનામતનો લાભ અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.