Abtak Media Google News

વર્ષ ૨૦૧૯-૨૦૨૦નો એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાઓને અપાશે ૧૦ ટકા વળતર: મહિલા કરદાતાઓને વિશેષ પાંચ ટકા વળતર

એડવાન્સ ટેકસ ભરી શહેરના વિકાસમાં સહભાગી થતાં પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે કોર્પોરેશન દ્વારા દર વર્ષે એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને વેરામાં ૧૦ ટકા સુધી વળતર આપવામાં આવે છે. આવતા સપ્તાહથી ટેકસ બ્રાંચ દ્વારા વેરા વળતર યોજના શરૂ કરવામાં આવશે. ૩૧મી મે સુધી વેરામાં ૧૦ ટકા અને ત્યારબાદ જુન માસમાં ૫ ટકા સુધીનું વળતર આપવામાં આવશે.

વર્ષ ૨૦૧૯-૨૦૨૦નો વેરો એડવાન્સ ભરનાર પ્રામાણિક કરદાતાઓને ટેકસ ડીબેટ યોજના અંતર્ગત વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવશે. જયારે મહિલાઓના નામ નોંધાયેલી મિલકતમાં વિશેષ ૫ ટકા સહિત કુલ ૧૫ ટકા વળતર આપવામાં આવશે. આ યોજના ૩૧મી મે સુધી ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ જુન માસમાં એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને વેરામાં ૫ ટકા અને મહિલા કરદાતાઓને વિશેષ ૫ ટકા સાથે ૧૦ ટકા વળતર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વેરા વળતર યોજના અંતર્ગત મહાપાલિકાને ૬૦ થી ૭૦ કરોડ ‚પિયાની આવક નાણાકીય વર્ષના પ્રથમ ૩ માસમાં થઈ જતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.