Abtak Media Google News

ડો. મુનિ મદનકુમારજી અને મુનિ સિઘ્ધાર્થકુમારજીનું પ્રોજેકટ લાઇફ માં પ્રવચન યોજાશે

તેરાપંથ ધર્મસંઘના આચાર્ય મહાશ્રમણજીના શિષ્યો ડો. મુનિ મદનકુમારાજી અને મુનિ સિઘ્ધાર્થકુમારજી કાલે પ્રોજેકટ  લાઇફમાં પધારી રહ્યા છે. વર્ષ ૨૦૦૩ માં આચાર્ય મહાપ્રજ્ઞજીના આર્શીવાદ થી તેઓ લાઇફ માં પધારેલ હતા અને પેક્ષાઘ્યાનના અનેકો શિબીરો કર્યુ હતું.ડો. મુનિ મદનકુમારજી ૩૬ વર્ષ પૂર્વ આચાર્ય તુલસીના હસ્તે દીક્ષા લઇ સંસારથી વિમુખ થઇ સંન્યાસનો માર્ગ અપનાવ્યો હતો.  તેઓ પી.એચ.ડી. ની ડીગ્રી ધરાવે છે.

મુનિ સિઘ્ધાર્થકુમારજી ૩૩ વર્ષ પૂર્વ આચાર્ય તુલસીના હસ્તે દીક્ષા લઇ સંન્યાસ જીવન અપનાવ્યું હતું. તેઓએ પ૦ દેશોની યાત્રા કરી ચુકયા છે. મુનિજી જ્ઞાનિ અને પ્રેક્ષાઘ્યાનના સાધક છે.મુનિના માર્ગદર્શન હેઠળ કાલે સવારે ૮ થી ૯ સુધી પ્રેક્ષા માનસિક શાંતિ ઉપર પ્રવચનનું આયોજન લાઇફ બિલ્ડીંગ રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે જેમાં લાભ લેવા અનુરોધ કરાયું છે મો. ૮૫૧૧૩ ૩૧૧૩૩ ઉપર સંપર્ક કરવોે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.