Abtak Media Google News

૧૬ દુલ્હા-દુલ્હન નિકાહ પઢશે: ૮૫ જેટલી ઘરવસ્તુની ભેટ અપાશે

ઉપલેટા શહેરમાં આવતી કાલે સવારે મોહદિસે આઝમ મિશન ઉપલેટા દ્વારા છઠ્ઠી સમુહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે તેમાં ૧૬ દુલ્હા-દુલ્હન નિકાહ પઢશે.

મોહદિસે આઝમ મિશન ઉપલેટા દ્વારા કાલે સવારે ૧૦ વાગે સૈયદુશા પીરની દરગાહ પાસે ગાભા બજાર ઉપલેટામાં સમુહ શાદીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સમુલ શાદીમાં ૧૬ દુલ્હા-દુલ્હન નિકાહ પઢશે મોહદિસે આઝમ મીશન ઉપલેટા દ્વારા આયોજીત સમુહ શાદીમાં ભાગ લેનાર તમામ ૧૬ દુલ્હા-દુલ્હન ને પલંગ, શેટી, કબાટ, મિકસર, પંખા, ગેસનો ચુલો સહીત ૮પ જેટલી ઘર ઉપયોગી વસ્તુ ભેટમાં આપવામાં આવશે.

ઉપલેટા: ગુજરાત રાજય મુસ્લિમ એકતા મંચના પ્રમુખ સાથે શુભેચ્છા મુલાકાત

તાજેતરમાં ગુજરાત રાજય મુસ્લીમ જાગૃત એકતા મંચના પ્રમુખ ઇમ્તીયાઝ પઠાણ ઉપલેટામાં આવ્યા હતા ત્યારે ઉપલેટા યુથ કોંગ્રેસના વસીમ કલીવાલા ઉર્ફે કાકાએ ઇમ્તીયાઝ પઠાણ સાથે હાલના યુવાનો વ્યસન તરફ જઇ રહ્યા છે. તેને મુસ્લીમ જાગૃત એકતા મંચના નેબર નીચે વ્યસન મુકત અભિયાન ચલાવવા સહીતની ચર્ચા વિચારણા કરી શુભેચ્છા મુલાકાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.