Abtak Media Google News

જામનગર નજીકના નાની ખાવડીમાં રહેતા એક ગરાસિયા પરિવારના મહિલા પોતાની પુત્રીને ધો.૧૦થી આગળ અભ્યાસ કરાવવા ઈચ્છતા હતા પરંતુ પતિએ ના પાડતા માઠું લાગી આવવાના કારણે આ પરિણીતાએ ઝેર પી જીવતર ટૂંકાવ્યું છે.

Advertisement

જામનગર તાલુકાના નાની ખાવડીમાં રહેતા હરદેવસિંહ ધીરૃભા જાડેજા નામના ગરાસિયા પ્રૌઢના પત્ની હર્ષાબા જાડેજા (ઉ.વ.૩૬)એ ગઈકાલે સાંજે છએક વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ઘરમાં હાજર તેમના દેરાણી નીતાબા સુખદેવસિંહ વગેરેએ બૂમાબૂમ કરતા દોડી આવેલા લોકોએ હર્ષાબાને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી, પરંતુ માર્ગમાં જ આ મહિલાએ શ્વાસ છોડી દીધા  હતા.

આ બાબતની પોલીસને જાણ કરાતા સિક્કા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.આર. જાડેજા દોડી ગયા હતા. તેઓએ મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડયા પછી મૃતકના દેરાણી નીતાબાનું નિવેદન નોંધ્યું હતંુ.

આ નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ હર્ષાબા પોતાના પુત્રી નિર્મળાબાને ધો.૧૦ પછી આગળ અભ્યાસ કરાવવા ઈચ્છતા હતા તે માટે તેઓએ પોતાના પરિવારમાં વાત કરી હતી, પરંતુ પતિ હરદેવસિંહએ પુત્રીને આગળ અભ્યાસ કરાવવાની ના પાડતા હર્ષાબાને માઠું લાગી આવ્યું હતું જેના પગલે તેણીએ આ પગલું ભર્યું હતું. પોલીસે વધુ વિગતો મેળવવા તપાસ યથાવત રાખી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.