Abtak Media Google News

કાલે સવારે નાવાગામથી ભવ્ય રથયાત્રામાં હજારો  કાઠી દરબારો જોડાશે- 23મીએ લોકડાયરામાં દેવાયત ખવડ, કિર્તીદાન ગઢવી,પાર્થ ગઢવી જમાવટ કરશે

નવા સુરજદેવળ મંદિરે કાલથી ઉપવાસ પર્વની ભવ્યાતિ ભવ્ય  ઉજવણી કરાશે જેમાં કાલે સવારે  નાવાગામેથી  ભવ્યાતી ભવ્ય રથયાત્રાનું આયોજન  કરવામાં આવ્યું છે. જેમાં તા.21 થી 24 દરમિયાન કાઠી દરબારો મંદિરે  રોકાઈને ઉપવાસ કરશે તેમજ વિશ્ર્વ કલ્યાણ અર્થે હવન કરવામાં આવશે તેમજ 23 એપ્રીલે ગૌશાળાના લાભાથર્ષ ભવ્યાતી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવાયત ખવડ, કિર્તીદાન ગઢવી, પાર્થ ગઢવી રમઝટ બોલાવશે.

ભારતિય સંસ્કૃતિમાં આપણાં ભૂતકાળની ઐતિહાસિક ઘટનાનાં સંસ્કાર જીવંત રાખવા માટે તિથી, પર્વ, તહેવારોનું ખુબજ મહત્વ છે, તેવા જ આજે સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડમાં વસતા કાઠીદરબારો વર્ષો પૂર્વની ઘટનાંને યાદ કરી દર વષેની વૈશાખ સુદ એકમથી ચોથનાં બપોરે પારણાં કરી સાડાત્રણ દિવસનાં ઉપવાસ વિવિધ સુર્યસ્થાને કરે છે, જેમા હજારોની સંખ્યામાં ચોટીલા પાસે આવેલ નવાસુરજદેવળ તેમજ થાનગઢ પાસે આવેલ જૂના સુરજદેવલ સ્થાને ઉપવાસીઓ જોવાં મળે છે, ઘણાં લોકો પોતાની અનુકુલતા મૂજબ નજીકનાં આશ્રમોએ અને પોતાનાં ઘરે પણ ઉપવાસ કરતાં હોય છે,

સૂર્ય ઉપાસનાં વૈદિકકાલથી પ્રચલિત છે જેમાં સુર્યને જગતચક્ષુ,જગત આત્મા પણ કહે છે, સુર્ય ઉપાસનાં 11 સદીમાં ભારતમાં ચરમસીમા પર હતી, પ્રભાસક્ષેત્રમાં 12 સુર્યમંદિરો હતાં પણ ધીમે ધીમે સુર્ય ઉપાસનાથી લોકો દૂર થતાં ગયા પણ કાઠી દરબારો આજે પણ સુર્યને ઇષ્ટદેવ તરીકે ઉપાસનાં કરે છે,

ભારતી લાડલી દિકરી એટલે ગુજરાત તેની જતિ, સતી, સંત, શુરાની જનની સૌરરાષ્ટમાં એક કલેજા સમાન ભૂભાગ એટલે પાચઋષિઓની તપસ્યા ભૂમી દેવકો પંચાલ, પૌરાણિક કાલથી અહી સુર્ય ઉપાસનાં તો હતી જ, સ્થાન નગરીનાં સ્થાપક કણ્વમૂની લખે છે કે જૂના સુરજદેવલ પાસે આવેલ જિલણીયા તળાવનું સ્નાન, બકુલાર્કનાં દર્શન અને ચોટીલા ચામુંડાની સ્તુતી નો કરો ત્યાં સુધી પંચાલની યાત્રા અધૂરી છે, જયમલભાઇ પરમાર લખેછે કે 5000 વષે પહેલાં ભગવાન કૃષ્ણનાં પુત્ર એ સૂર્ય ઉપાસનાં કરી પોતાનાં શરીરનો કોઢ મટાડ્યો હતો, તે સમયે આ પ્રદેશ સુર્ય ઉપાસનાનો દેશ એટલે સૌરરાષ્ટ નામ હતું, સમય જતાં આ પ્રદેશમાં અંગ્રેજો અને મરાઠાઓ સાથે કાઠીઓને નિરંતર સંઘર્ષ થતા આ પ્રદેશનું નામ કાઠિયાવાડ આપવામાં આવ્યું,સંજોગોવસાત કાઠીઓ વિવિધ સ્થળોએ સ્થાળંતર કરેલ છે પણ પોતાની હાર્દસમાન સુર્ય ઉપાસનાને આજ સુધી ભૂલ્યા નથી, આજથી 2500 વર્ષ પહેલા યાસ્કાચાર્ય એ વેદોનાં શબ્દોનું અર્થઘટન કરવા માટે નિરુક્ત નામનો ગ્રંથ લખ્યો, જેમાં “કાષ્ઠા” શબ્દના ચારથી પાંચ સમાનાર્થી શબ્દો લખ્યાં છે જેમા કાષ્ઠા શબ્દનો એક અર્થ સુર્ય પણ કર્યો છે,

કાઠીઓ જે સ્થળે નિવાસ કરતાં ત્યાં સૂર્યમંદિર અવશ્ય બંધાવતાં,12 મી સદીમાં કાઠીઓની રાજધાની કંથકોટ (કચ્છ) હતી ત્યાં પણ આજે સૂર્યમંદિરનાં અવશેષો આજે પણ મળે છે,આપણે ઉપવાસ તિથી પર્વ બાબતની વાત કરીએ તો ઘણી ઐતિહાસિક ઘટનાંઓ ગ્રંથસ્થ થયેલ નથી પણ અમુક ઘટનાઓ આપણાં પૂર્વંજોની મૌખિક કંઠસ્થ ગાથામાં જીવંત હોય છે, અમુક ઘટનાઓ બારોટની વહીઓમાં સચવાયેલી પડી છે, અમુક બારોટો ભલે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત નોતુ કરેલું પણ તૂટીફૂટી ભાષામાં પણ ઐતિહાસિક કથા અને કથાગીત આજે પણ સાચવીને રાખેલ છે તે બદલ આપણે બારોટને ધન્યવાદ આપીએ,

ઉપવાસ પર્વ કયારથી શરુ થયું, વૈશાખ તિથી કેમ,,?  આ બાબત અમુક મતમતાંતરો છે, જોકે તમામ ઐતિહાસિક બાબતમા મતમતાંતર રહેવાના, અમુક એવુ પણ કહેછે કે 17/18 મી સદીમાં સુજાતખાને જૂના સુરજદેવલ ઉપર હુમલો કર્યો અને ઘણા કાઠીઓ વિરગતિ પામ્યા તેની યાદમા આ ઉપવાસ પર્વ ઉજવાય છે, પણ તે યુધ્ધ થયુ તેની સાલ મળે છે પણ તિથી, વાર, તારીખ ,મહિનો આપણને મળતો નથી (કદાચ કોઇ પાસે તે સુજાતખાન સાથેના યુધ્ધનો મહિનો, તિથી મળે તો જણાવશો તો વધુ આનંદ થશે) તો કેવી રીતે આપણે વૈશાખ તિથી માની શકાય,,,,?  એ એક પ્રશ્ન છે, તો નિચે મૂજબનાં બારોટના કથાગીતમાં સૂર્યનારાયણ સ્વપ્નમા આવ્યા તેની તિથી વૈશાખ સુદ ચોથ બતાવે છે તો તેને આપણે વધુ માની શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.