Abtak Media Google News

મા અંબાના દર્શન અને પૂજન અર્ચન કર્યું

જુનાગઢ જિલ્લા કલેકટર પદે વરાયેલા નવનિયુક્ત કલેકટર અનિલ કુમાર રાણા વસ્યાએ આજરોજ ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના ભાવપૂર્વક દર્શન અને પૂજન અર્ચન કરી પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો.

આજરોજ વહેલી સવારે નવ નિયુક્ત જિલ્લા કલેક્ટર અનિલકુમાર રામજીભાઈ  રાણવસિયા ગિરનારની ટોચ બિરાજતા જગતજનની માં અંબાજીના મંદિરે પહોંચ્યા હતા, અને માં અંબાની પૂજા, અર્ચના કરી હતી, ત્યારે આ વેળાએ મંદિર ટ્રસ્ટના મહંત તનસુખગીરીબાપુ દ્વારા કલેક્ટરને માતાજીની ચુંદડી પ્રસાદી સ્વરૂપે અર્પણ કરી, અને પ્રજાભિમુખ વહીવટ કરવા અને લોકોના કાર્યો કરવા માતાજી વતી રૂડા આશીર્વાદ આપ્યા હતા.

જુનાગઢ જિલ્લાના નવ નિયુક્ત કલેકટરની સાથે નવનિયુક્ત અધિક કલેક્ટર પટેલ, મામલતદાર તેજસ જોશી વગેરે હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.