Abtak Media Google News

દરેક સ્ત્રીને દર મહિને માસિક ધર્મ દરમિયાન અસહ્ય દુ:ખાવાની સાથે બ્લડનાં વહેવાને પણ સહન કરવું પડે છે. આમ તો માસિક ધર્મ એ કોઇ બિમારી નથી પરંતુ તે દરમિયાન થતાં દુ:ખાવાથી સ્ત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો આવે છે. જ્યારે આ સિવાય એવા કેટલાંક કારણો જવાબદાર છે એ રીતનું જ બ્લીડીંગ થવા પાછળના તો આવો જાણીએ એવા જ કેટલાંક કારણો વિશે ……

– ગર્ભાવસ્થા :

Web6ગર્ભધારણ થાય તે સમય દરમિયાન  કેટલીક સ્ત્રીઓને બ્લડ નિકળતું હોય છે. સાથે સાથે ઓર્ગાનિમ્સનો પણ અનુભવ થાય છે. કેટલીક સ્ત્રીઓને પ્રેગ્નેન્સીના શરુઆતનાં મહિનાઓમાં સ્પોટીંગ એટલે કે રક્ત પ્રવાહથી ડાઘા પડવાની સમસ્યા પણ રહેતી હોય છે.

– ગર્ભ નિરોધક સાધનો :

3 18જે સ્ત્રીઓને ગર્ભ નિરોધકનાં રુપમાં જો કોઇ સાધન તેનાં ગુપ્તાંગ એટલે કે વજાઇનામાંથી ક્યારે ક્યારેક બ્લીંડીંગ થઇ શકે છે. જો એવું થાય છે તો ડોક્ટરની સલાહ લેવી એ જ યોગ્ય માર્ગ છે.

– થાઇરોડ :

4 14જે સ્ત્રીઓ થાઇરોડથી પીડીત છે. તેને પણ વજાઇનાથી બ્લીડીંગ થવાની સમસ્યા સતાવતી હોય છે. આ રોગથી પીડાતી સ્ત્રીઓનાં શરીરમાં હોર્મોન્સમાં અસંતુલન થવાથી તેવું થાય છે.

– યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન :

5 13આ પણ વજાઇનામાંથી બ્લીડીંગ થવાનું એક કારણ છે. જેમાં તમારુ બ્લેડર એટલે કે મુત્રાશય જો ઇન્ફેક્ટેડ છે તો પેશાબની સાથે બ્લડ પણ નીકળે છે.

– ગુપ્તાંગનાં રોગ :

6 8જો તમે કોઇ ગુપ્તાંગને સંબંધી રોગ જેવા કે ગાત્રીયા, ચ્લામ્ટિડયા, H.I.V.વગેરે જેવા રોગોથી પીડીત છો તો પણ તેમને વજાઇનામાંથી બ્લીડીંગ થઇ શકે છે.

આ તમામ કારણોનો સમયસર ઉપચાર કરાવવો જરુરી બને છે તેની અવગણના કરવી જીવને જોખમમાં મુકવા સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.