Abtak Media Google News

અમરેલી જિલ્લાનાં બાબરામાંથી પસાર થતી કાળુભાર નદીમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ભાજપનાં આગેવાનો અને ખેડૂતોએ નર્મદા નીરનાં વધામણા કર્યા હતાં.

સાંસદ નારણભાઈ કાછડિયા દ્વારા પાણીનો વાલ્વ ખોલવામાં આવ્યો હતો અને નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતાં.

ચરખા અને બાબરાથી શરૂ થતી કાળુભાર નદીમાં વગર વરસાદે સૌની યોજનાનું પાણી વહેવા લાગ્યું છે. કાળુભાર નદીમાં પાણી આવવાથી નદી અને કાંઠા વિસ્તારના બોર-કૂવાના તળ ઉંચા આવશે. આમ સૌની યોજનાનું પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.