પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે દોડવિર ધનશ્યામ સુદાણી એ તેઓના પરિવાર સાથે શ્રી સોમનાથ મંદિરે દર્શન, મહાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરેલ. પૂજન બાદ દોડના પ્રારંભે અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનિશભાઇ સંઘાણી , સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા દોડવીરની દોડનો શુભારંભ કરાવવામાં આવેલ. શ્રી સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા દોડવિર ધનશ્યામ સુદાણીને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ. દોડવિર ધનશ્યામ સુદાણી શ્રી સોમનાથ મંદિર થી પ્રારંભ કરેલી દોડ ની પુર્ણાહુતી રામ જન્મભૂમી મંદિર અયોધ્યા ખાતે તા.21-એપ્રીલના રોજ કરશે. 1800 કી.મી.નું અંતર દોડવીર 21 દિવસ માં પુર્ણ કરશે.
Trending
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ