Abtak Media Google News

વીછીંયાનાપાવટીના યુવક, જસદણના કમળાપુરના આધેડ અને પડધરીના નવી ચણોલ ગામના યુવકના મોતથી પરિવારમાં શોક

રાજકોટ જીલ્લામાં ત્રણ સ્થળે વીજ શોકથી મોત નિપજયાની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. વીછીયાના ‚પાવારી ના યુવકનું, જસદણના શિવરાજપુર ગઢડીયાના ગામે પ્રૌઢનું અને પડધરીના ચણોલ ગામે આધેડનું વીજ શોકથી મોત નિપજતા પરીવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત જસદણ તાલુકાના કમળાપુર ગામનો કમલેશ દોલત રાઠોડ નામનો પ્રૌઢ શિવરાજપુર, ગઢડીયા ગામે પવન ચકકીમાં કામ કરતી વેળાએ વીજ શોક લાગતા મોત નિપજયું હતું.

વિછીયા તાલુકા ‚પાવટી ગામે રહેતા દર્શન વરજાંગ ગોરાસ્વા નામનો યુવાન પોતાના ઘરે લાઇટ ન હોવાથી વીજ રીપેરીંગ કરી રહ્યો હતો ત્યારે વીજ શોક લાગતા બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા જયાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા છે.

પડધરી તાલુકાના નવી ચણોલ ગામે રહેતા મેરાભાઇ ધોધાભાઇ ઝાપડા નામના ર૧ વર્ષ યુવાનને વીજ શોક લાગતા ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે જયાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.