Abtak Media Google News

અબતક, જામનગર

જામનગર મહાનગરપાલિકાના ઉપજાઉ વહીવટને લઈને યુવાનો બેરોજગાર બન્યા છે…..વાત એમ છે કે દર વર્ષે અમુક કર્મચારીઓ નિવૃત થાય છે…પણ આ જગ્યાઓ પર લાયક અને તરવરીયા યુવાનોની ભરતી કરવાને બદલે…જે તે નિવૃત થયેલ કર્મચારીને જ ગોઠવી ગઈ વર્ષોથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે…..જામ્યુકોના આવા વહીવટને કારણે અનેક યુવાનો પરાણે બેરોજગાર બેસી રહ્યા છે…..ત્યારે જામનગર મહાનગરપાલિકામાં ગઈઢા ગાડુ હાકે ને યુવાનો ઠન ઠન ગોપાલ જેવો તાલ સર્જાયો છે….જામનગર મહાનગર પાલિકા અસ્તિત્વ આવ્યાને ચાર દાયકા થયા…..અમુક વિકાશાત્મક સુવિધાઓને બાદ કરતા આજે પણ મહાપાલિકા એક શહેરને છાજે તેવી વ્યાખ્યામાં બંધ બેસતું નથી….કારણ માત્ર કામ કરવામાં ઉભી થતી મહેકમરૂપી અડચણ છે….

મહાપાલિકાની સ્થાપના સમયે અસ્તિત્વ ધરાવતું મહેકમનું ગાડુ ચાર દાયકા બાદ પણ એજ ગતિએ દોડી રહ્યું  છે….એટલે પાંચ કિમીની ત્રીજ્યા વાળું શહેર આજે સો કિમીની ત્રિજ્યા ધરાવતું મહાનગર બન્યું  છે….પણ મહેકમમાં એક પણ જગ્યાનો વધારો થયો નથી….કમિશ્નરથી માંડી પટાવાળા સુધીની જગ્યાઓ એ જ સ્થિતિમાં છે જે ચાર દાયકા પૂર્વે હતી….જેના કારણે કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જ ચાલ્યું છે….જેનો  વિકલ્પ શોધી લીધો હોય તેમ મહાપાલિકા આઉટસોર્સથી ગાડું દોડાવી રહી છે…

નિવૃત થતાં કર્મચારીઓના સ્થાને નવી ભરતી કરાતી નથી, જૂના જોગીઓથી ગાડુ ગબડાવાય છે: સ્ટાફ પર કામનું ભારણ

આમ તો ગાંધીનગરથી માંડી ગ્રામ પંચાયત સુધીની સરકારી કચેરીઓમાં સ્ટાફની અછત છે….તેની સામે સરકાર દ્વારા સમયાંતરે ભરતી પ્રક્રિયા થાય છે…પણ જામનગર મહાનગર પાલિકામાં નિવૃત બાદ તે જગ્યા પર આજ દિવસ સુધી ભરતી પ્રક્રિયા થવા પામી જ નથી….વર્ગ ત્રણની જગ્યાઓ પર તો નિવૃત કર્મચારીઓને ગોઠવી દેવામાં આવે છે……આજે હાલત એવી છે કે એક પણ બ્રાંચમાં એવો કર્મચારી નહી હોય જે નિવૃત્તિ પછી ખરેખર નિવૃત થયો હોય….હાલ જામનગર મહાનગરપાલિકામાં કલાસ બે, ત્રણ અને ચારના 63 નિવૃત કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે.

વય મર્યાદાને કારણે નિવૃત થવા છતાં મહાપાલિકા દ્વારા આવા જ કર્મચારીઓને એક્સ્ટેનશન આપી ફરી એ જ જગ્યાએ ગોઠવી દેવામાં આવે છે…આ વયોવૃદ્ધ કર્મચારીનો કરાર પૂરો થઇ જાય ત્યાં નવો કરાર કરી ફરીથી એ જ જગ્યાએ લઇ લેવામાં આવે છે……એક તરફ બેરોજગારીનો ગ્રાફ વર્ષેને વર્ષે વધતો જાય છે……જેને લઈને લાયક નવ યુવાનો નોકરીથી વંચિત રહી જાય છે….મહાપાલિકાના આવા વહીવટ સામે કોંગ્રેસે બાયો ચડાવી છે….નિવૃત કર્મચારીઓને નોકરી પર પરત લેવાની જગ્યાએ નવા યુવાનોને તક આપવાની માંગણી કરી છે….

એક તરફ બેરોજગારીનો પ્રશ્ન છે ત્યાં જામનગર મહાનગર પાલિકા નિવૃત કર્મચારીઓથી ગાડું ગબડાવ્યે રાખે છે….કોંગ્રેસના એક માત્ર નગરસેવકે પ્રશ્ન ઉઠાવ્યો છે….આગામી સમયમાં નગરના લાયક બેરોજગારો મહાપાલિકા કચેરીએ પહોચે તે પૂર્વે તંત્રએ સાનમાં સમજી જવું જોઈએ….નિવૃત કર્મચારીઓથી થતા વહીવટ સામે સરકારે પણ પરિપત્ર બહાર પાડી દીધો છે….છતાં પણ મહાનગર પાલિકા દ્વારા કોઈ નક્ક્ક્ર કાર્યવાહી કરવામાં આવી નથી….સકરારના આદેશનો અભ્યાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય કરવાની પણ વહીવટી તંત્રએ તૈયારી દર્શાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.