Abtak Media Google News

અબતક,જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ

ગોંડલ  નેશનલ હાઈવે અકસ્માત માટે કુખ્યાત બની ગયો છે ત્યારે ચરખડી ના પાટીયા પાસે રાજકોટ જૂનાગઢ વચ્ચે દોડતી ખાનગી મિની લક્ઝરી બસ પલટી મારી જતા 11  મુસાફરો ઘાયલ થયા હતા જેઓને સારવાર માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

બસ પલ્ટી મારતા રોડ પર ટ્રાફીક જામ: મુસાફરોને હોસ્પિટલ ખસેડાયા

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જૂનાગઢ વચ્ચે દોડતી  GJ 11 ટીટી 8586 નંબરની મિની લક્ઝરી પર પલટી મારી જતા બસમાં મુસાફરી કરી રહેલા દીપાબેન રમેશભાઈ ડામોર, હરેશભાઈ સોમાભાઈ બારીયા, સાહિલ કનુભાઈ વસુનિયા, જામસિંગ ખુમાણસિંગ મસાર, જીલુબેન કમાભાઈ જુણેજા, સલમાબેન જાહિદભાઈ જુનેજા, રમેશભાઈ પાંગળા ભાઈ ડામોર, સારુભાઈ આપસિંગ વસુનિયા, અશોકભાઈ બાબુભાઇ ભોજવીયા, રાકેશભાઈ આપસિંગ વસુનિયા, કુસુમબેન જામસિંગ મસાર સહિતનાઓ ઘાયલ થતા નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સરકારી હોસ્પીટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઈ માધડ સહિતના સેવાભાવીઓ મદદે દોડી આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.