Abtak Media Google News

પૂર્વ મંત્રી સાપરિયા, ધારાસભ્ય વસોયા, જોષી સહિતના આગેવાનોએ હાજરી આપી કાના રસપાનનો લાભ લીધો.

મહોબતપુરા નવાગામમાં તા.૧૫મીી આયોજીત સમસ્ત ગામ તા ગોવર્ધન ગૌસેવા સમાજ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણમાં દરરોજ વિવિધ કાર્યક્રમો જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વામન જન્મોત્સવ, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગૌ પૂજન, ગોવર્ધન લીલા, અન્નકૂટ દર્શન, સમૂહ મહાપૂજા, રૂક્ષ્મણી વિવાહ, રાધે કાનગોપી, ઠાકોરજીનો મહા અભિષેક સહિતના પાવનકારી પ્રસંગોના ભવ્ય આયોજન કરવામાં આવેલ હતા.

Advertisement

Photogrid 1526926268848 1આ ભાગવત સપ્તાહમાં ધર્મસભા સંત શિરોમણીઓ પીપલાણાના પ.પૂ.મોહન પ્રસાદદાસજી સ્વામી, જેતપુરના શાસ્ત્રીનિલકંઠ ચરણ દાસજી સ્વામી, વડિયાના આનંદ સ્વરૂપદાસજી સ્વામી, મેંદરડાના ભક્તિદાસજી સ્વામી, ફરેણીના શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ઉપસ્તિ રહી હરિભક્તોને આશિર્વાદ પાઠવ્યા હતા.

આ તકે ગુજરાત રાજયના પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરિયા, ઉપલેટા, ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, જૂનાગઢના ધારાસભ્ય ભિખાભાઈ જોષી, ઉપલેટાના ભરતભાઈ રાણપરિયા ઉપસ્તિ રહેલા. તેઓનું સ્વામીએ પુષ્પમાળા પહેરાવી મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.

Photogrid 1526926268848 2આ ભાગવત પારાયણના વકતાપદે સહ શાી નારાયણ સ્વરૂપદાસજી સ્વામીના શિષ્ય અને સુપ્રસિધ્ધ ભાગવત કાકાર શાી ધર્મસ્વરૂપદાસજી સ્વામી (ખીરસરા ગુરૂકુળ) વ્યાસાશને બિરાજી પોતાની માર્મિક વાણીમાં ઉપસ્તિ હરિભક્તોને રસપાન કરાવેલ હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.