Abtak Media Google News

કાલે મણિકર્ણિકા અને ઠાકરેની ટક્કર

હું અહીં  કરણી સેનાની માફી માગવા નથી બેઠી: કંગના રાણાવતની ઘરે પોલિસ પ્રોટેક્શન

આવતી કાલે ૨૫ મી જાન્યુઆરીએ બોક્સ ઓફિસ પર બે ફિલ્મો મણિકર્ણિકા અને ઠાકરે ની ટક્કર થશે. ફિલ્મ ની રિલીઝ ના આગલા દિવસે કંગના રાણાવતને પોલિસ પ્રોટેક્શન અપાયું છે. તેણે કરણી સેના સાથે પંગો લીધો છે. કરણીસેનાને કંગનાની માફી ખપે છે પરંતુ તેને કોઈ હિસાબે માફી માગવી નથી.ગઈ કાલે કંગના રાણાવતે કહ્યું હતું કે હું માફી માગવા નથી આવી.

Advertisement

કંગના એક તરફ ગમે તેમ કરીને ફિલ્મ મણિકર્ણિકા ને હિટ કરાવવા આકાશ પાતાળ એક કરી રહી છે તો બીજી તરફ તેને ઠાકરે જેવી ફિલ્મ નો સામનો કરવો પડે છે. શિવ સેના એ તેને ફિલ્મ મણિકર્ણિકા ની રિલીઝ પાછી ખેંચી લેવા માટે કોલ આપ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે આ ફિલ્મ માટે કોઈ પણ પ્રકારની સમજૂતિ નહીં થાય. શિવ સેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરે ની બાયો પિક ને મહારાષ્ટ્ર સરકારે ટેક્સ ફ્રી કરી દીધી છે. એટલે ફિલ્મ ઠાકરે ને મહારાષ્ટ્ર માં ખૂબ સારું ઓપનિંગ મળવાની શક્યતા છે.

એકંદર કંગના રાણાવત માટે આજ ની રાત કયામત ની રાત છે. એક તરફ કરણી સેના અને બીજી તરફ શિવ સેના. મતલબ કે કંગના રાણાવત બૂરી ફસી છે. હજુ કેતન મહેતા એ કરેલો કેસ ચાલી રહ્યો છે. અસલ માં કંગના પર ઝાંસી કી રાની પર આધારિત ફિલ્મ બનાવવાનો વિચાર ચોરવાનો આરોપ છે. કેતન મહેતા અગાઉ આ ફિલ્મ બનાવવાના હતા.

ફિલ્મ મણિકર્ણિકા ને કરણી સેના સાથે ના વિવાદ ના સહારે  ચલાવવી તેવી યોજના ફ્લોપ થઈ શકે છે. કેમકે બ્રાહ્મણ મહા સભાએ પણ શરૂઆત માં રાણી લક્ષ્મીબાઈ પર ફિલ્મ બનાવવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.