Abtak Media Google News

તા. ૨૨.૭.૨૦૨૩ શનિવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ સુદ ચોથ, પૂર્વાફાલ્ગુની  નક્ષત્ર, વરિયાન   યોગ, બવ  કરણ આજે રાત્રે૧૧.૪૨ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ)  રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : સીધી સરળ વાતથી કાર્ય નહિ બને  એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

મિથુન (ક,છ,ઘ) : તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો,  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

કર્ક (ડ,હ) : ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.

સિંહ (મ,ટ) :  બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

વૃશ્ચિક (ન ,ય) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ):વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

મકર (ખ,જ) : ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ) : બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

મંગળ અને શનિ પ્રતિયુતિનાં પરિણામો!!

ગોચર ગ્રહોમાં મંગળ શનિ પ્રતિયુતિનાં કારણે અનેક અકસ્માતો અને બનાવની શૃંખલા આપણે જોઈ રહ્યા છીએ વળી આગામી દિવસોમાં પણ આ બાબતે વિશેષ કાળજી રાખવી રહી. વક્રી શનિ મહારાજ મંગળ પર દ્રષ્ટિ કરતા હોય નકારાત્મક પરિણામ વધુ જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં રાજનીતિમાં પણ અનેક મોટા પરિવર્તન જોવા મળશે વળી દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલના જીવનમાં નવા અધ્યાય શરુ થતા જોવા મળશે. સીને જગતમાં પણ ઘણા સમાચાર સામે આવતા જોવા મળશે ખાસ કરીને કંગના રાણાવતની મુશ્કેલીઓ વધતી જોવા મળશે. મંગળ અને શુક્ર સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં થી પસાર થઇ રહ્યા છે ત્યારે સ્ત્રીઓ પર અત્યાચારના દુઃખદ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે અને સરકારોની ઊંઘ હરામ થઇ ગઈ છે જે વિષે હું અત્રે અગાઉ લખી ચુક્યો છું કે રાજકીય ગલિયારામાં આ પ્રકારે ઘટનાઓ આકાર લેશે જે આપણા ભારતવર્ષની સંસ્કૃતિને કલંક લગાડતી ઘટનાઓ છે જેનું પુનરાવર્તન ના થવું જોઈએ. આગામી દિવસોમાં આ માટે કડક પગલાં લેવા માં આવે વળી બેજવાબદારીથી વાહન ચાલવી અન્યના જીવન સાથે ચેડાં કરતા લોકો સામે પણ ઉચિત કાર્યવાહી થાય તે જરૂરી છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.