Abtak Media Google News

તા. ૧૦..૨૦૨૩ શુક્રવાર,

સંવંત ૨૦૭૯ મહા વદ ચોથ

 નક્ષત્ર: હસ્ત

યોગ: દ્યુતિ  

કરણ: કૌલવ    

આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ  કન્યા ( , ,)  રહેશે.

મેષ (,,) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

વૃષભ (,,) : સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

મિથુન (,,) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

કર્ક (,): જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

સિંહ (,):  સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

કન્યા ( , , ): બેન્ક બેલેન્સ વધારી શકો,નાણાકીય આયોજન કરી શકો,  પૈસા બાબત માં સારું રહે.  

તુલા (,) :  તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

વૃશ્ચિક ( , ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

ધન ( , , , ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

મકર ( , ): વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

કુંભ ( ,, ): ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

મીન ( , , ,): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

મહા શિવરાત્રી પર શિવ કથાનો મહિમા અપરંપાર છે

આ વર્ષે તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ને શનિવારના રોજ મહા શિવરાત્રી આવી રહી છે. મહા શિવરાત્રી એ આપણી સંસ્કૃતિનો અતિ પવન અવસર છે આ દિવસે ભોળાનાથની પૂજાથી જીવનમાં સમૂળગું પરિવર્તન લાવી શકાય છે વળી આ વર્ષે હા શિવરાત્રી શનિવારે આવી રહી છે જે વિશેષ સંયોગ છે શનિવારે જયારે મહા શિવરાત્રી આવે છે ત્યારે સાધના દ્વારા આપણે શનિ અને બધા ક્રૂર ગ્રહોની શાંતિ કરી શકીએ છીએ. મહા શિવરાત્રી નિશિથકાળ રાત્રે ૧૨.૨૯ થી ૧.૧૭ સુધી રહેશે આ દરમિયાન શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે. આ સમયમાં મૃત્યુંજય મંત્ર કરવામાં આવે તો જીવનમાં કલ્યાણ થાય છે અને વિવિધ ઈચ્છાઓ માટે વિવિધ દ્રવ્યથી શિવલિંગ અભિષેક નું વિધાન છે અને તેના માટે અલગ અલગ મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે. તમામ રીતે સુખ શાંતિ સમૃદ્ધિ માટે પંચામૃત , ગાયનું દૂધ, શેરડીનો રસ, ગંગાજળ અને ગામ નદીનું જળ કે ચોખ્ખા જળ વડે શિવજીનો અભિષેક કરી બિલ્વ પાત્ર અને ફૂલ ચડાવવા જોઈએ શિવ પુરાણનું વાંચન કે રુદ્રીના પાઠ, શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ તાંડવ સ્તોત્ર , મહા મૃત્યુંજય મંત્ર કે શિવ ગાયત્રી મંત્ર કરવાથી વિશેષ લાભ થાય છે.  મહા શિવરાત્રી પર શિવ કથાનો મહિમા અપરંપાર છે.


જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.