અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના એકઝીબીશન હોલ ખાતે આવતીકાલથી ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેરનો પ્રારંભ થશે. ત્રણ દિવસ ચાલનારા આ ફેરમાં ૧૨ દેશો તથા ૨૧ રાજયોના ટુરીઝમ બોર્ડ ભાગ લેશે. કુલ ૬૨૫ એકઝીબીટર્સ ટુરીઝમ ફેરમાં હાજરી આપશે.નેપાળ, શ્રીલંકા, ભુતાન, ચીન, માલદીવ, સિંગાપોર, થાઈલેન્ડ, યુએઈ, રશિયા, ઉમ્બેકીસ્તાન, ઈન્ડોનેશીયા અને જાપાન સહિતના દેશોના પ્રતિનિધિઓ ટુરીઝમ ફેરમાં ઉપસ્થિત રહેશે. આ મેળો ગત વર્ષ કરતા ૨૫ ટકા મોટો રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ભારતમાં વિદેશી મુસાફરોને આકર્ષવા માટે ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મંત્રી ગણપત વસાવા, ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના ચેરમેન કમલેશ પટેલ તેમજ ટુરીઝમના પ્રિન્સીપાલ સેક્રેટરી એસ.જે.હૈદર હાજરી આપશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ