Abtak Media Google News

 અબતક, સબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

સાયલા તાલુકાના લીંબાળા ગામે કૌટુબિંક દિયર-ભોજાઇએ અનૈતિક પ્રેમસંબંધને સમાજ સ્વીકારશે નહિ તેવા ડરથી ગામની સીમમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઇ સજોડે આપઘાત કરતા ગામમાં ચકચાર મચી ગયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા તાલુકાના લીંબાળા ગામે રહેતા અને કૌટુબિંક દિયર-ભોજાઇનો સંબંધ ધરાવતા વિક્રમભાઇ મીઠાભાઇ જોગરાણા અને રેખાબેન ભગવાનભાઇ જોગરાણાએ ગામની સીમમાં જઇ લીંબડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઇ સજોડે આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે.

એક વર્ષ પહેલા બંનેની આંખ મળતા પ્રેમ પાંગર્યો હતો:
સમાજ સંબંધો નહિ સ્વીકારે તેવા ડરથી ગામની સીમમાં ઝાડવા પર લટકી ગયા

ઘટનાની જાણ થતા ગામના સરપંચ અને પોલીસ સ્ટાફ દોડી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથધરી હતી. જેથી પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ બંને દિયર-ભોજાઇ પરણિત હોવાનું અને એક વર્ષ પહેલા જ વિક્રમભાઇ જોગરાણા અને રેખાબેન જોગરાણાની આંખ મળી હોવાનું જાણવા મળ્યું હતું.

પરંતુ આ અનૈતિક પ્રેમ સંબંધને સમાજ સ્વીકારશે નહિ અને એકબીજાથી દૂર પણ રહિ શકાશે નહિં તેના કારણે બંનેએ જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી ગામથી દૂર સીમમાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.