Abtak Media Google News

પર્યાવરણ ને થતા ગંભીર નુક્શાનો પાછળ વૃક્ષોની જાળવણી જતનનો અભાવ છે તો વધુ પડતા વૃક્ષોના છેદન ને કારણે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો થતી આવી છે ત્યારે અમરેલી જિલ્લા હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડઝ જિલ્લા કમાન્ડર અશોકભાઈ જોશીની સૂચના અને વૃક્ષો પ્રત્યેના અપાર લગાવને કારણે સાવરકુંડલા હોમગાર્ડઝ યુનિટ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરીને વૃક્ષોના જતનની જવાબદારી લઈને પ્રજાજોગ વૃક્ષોની જળવણીનો સંદેશો આપ્યો છે

Advertisement

સાવરકુંડલા મહુવા રોડ પર આવેલ હોમગાર્ડઝ યુનિટ ના હોમગાર્ડઝ કમાન્ડર પ્રવીણભાઈ સાવજ, ભુપત ચુડાસમા, કેતન પંડ્યા, વિપુલ સોંડાગર, ભરત મકવાણા, ભાભલુ સંધી, અતુલ મેર, મનસુખ કાતરીયા, કુમારસિંહ સહિતના હોમગાર્ડઝ જવાનો હાજર રહ્યા હતા અને સરકારના વૃક્ષો વાવો અભિયાન માં સમર્થતા દર્શાવીને વૃક્ષો વાવેતર સાથે વૃક્ષો ના જતનની જવાબદારી પણ હોમગાર્ડઝ જવાનોએ માથે લીધી હતી તેમ હોમગાર્ડઝ યુનિટ ના પ્લાટૂંન સાર્જન્ટ મહેબૂબ કાદરી એ અખબારી યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.