Abtak Media Google News

થોડા સમય પહેલા જ પશુને બચાવવા જતા કુતિયાણામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેમાં PSIનું મોત થયું હતું ત્યારે આજે ફરી આવી જ દુર્ઘટના બની છે જેમાં બે પોલીસકર્મીના મોત થયા હતા. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરની છે જ્યાં લખતર-જમર ગામ વચ્ચે અકસ્માત સર્જાતા બે પોલીસકર્મીના મોત થયા હતા.

Advertisement

મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરમાં લખતર-જમર ગામ વચ્ચે બે પોલીસકર્મીઓની બાઈક સામે રોઝ આવી જતા અકસ્માત સર્જાયો હતો. બાઈક ઉપરથી નીચે પડતાં એક પોલીસ કર્મીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય એક પોલીસ કર્મીને સારવાર માટે લઈ જતા મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા PI, PSI, DYSP અને જિલ્લા એસ પી હરેશ દુધાત સહીત પોલીસ કાફલો સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. આ ગોઝારા અકસ્માતનાં સમાચાર મળતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. આ સાથે મૃતક પોલીસ કર્મીઓનાં પરિવારમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે.

કુતિયાણા નજીક થોડા સમય પહેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 34 વર્ષીય PSI જે.જે. જોગદિયાનું નિધન થયું હતું. મળતી માહિતી મુજબ આ ઘટના આજ રોજ વહેલી સવારની છે જ્યાં પશુને બચાવવા જતા પોલીસ બોલેરો પુલના ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૩૪ વર્ષીય PSIનું નિધન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.