Abtak Media Google News

મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ગડકરી સ્ટેજ ઉપર જ બેભાન થઈ ગયા હતા.ત્યાંથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હવે તેમની તબિયતમાંસુધારો જોવા મળ્યો છે.

કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગવર્નર વિદ્યાસાગર રાવ સ્ટેજ પરહાજર હતા અને તેમણે જ નિતિન ગડકરીને સંભાળ્યા. નિતિન ગડકરીને હાલ હોસ્પિટલ લઈજવામાં આવ્યા છે. જોકે અચાનક તેમની તબિયત કેમ ખરાબ થઈ ગઈ નિતિન ગડકરી અહમદનગરની મહાત્મા ફુલે એગ્રીકલ્ચરલ કોલેજનીકોન્વોકેશન સેરેમનીમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

આ ઘટના તે સમયે થઈ જ્યારે નિતિનગડકરી રાષ્ટ્રગીત માટે ઉભા થયા હતા.તે સમયે જ અચાનક તેમનેચક્કર આવ્યા અને તેઓ સ્ટેજ ઉપર જ બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન રાજસ્થાનનામુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વિટ કરીને નિતિન ગડકરીના જલદી સાજા થઈ જવા માટેશુભેચ્છા પણ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.