Abtak Media Google News

ગુજરાત ન્યુઝ

મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જામનગર જિલ્લાના સિદસર ગામે કામધેનુ ગૌશાળાની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ગૌશાળામાં ગૌપૂજન કર્યું હતું. અને ગૌશાળાની સ્વચ્છતા, જાળવણી અને સુવિધાઓની પ્રશંસા કરી સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. ગૌશાળામાં ૧૩૫ ગૌધનની હાલ સારસંભાળ રખાઈ રહી છે.

Whatsapp Image 2023 10 01 At 1.22.35 Pm 3

મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે સંગઠનના પ્રમુખ કૌશિકભાઈ રાબડિયા, ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જેરામભાઈ, ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલ, ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ ચીમનભાઈ સાપરિયા, ઉમિયાધામ મંદિર ટ્રસ્ટના અગ્રણીઓ, અગ્રણી ડૉ. વિમલભાઈ કાગથરા, રમેશભાઈ મુંગરા, જિલ્લા ભાજપ મહામંત્રી, અધિકારીઓ તથા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Image 2023 10 01 At 1.22.35 Pm 6

જામનગર – સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.