Abtak Media Google News

આજે ૧૪મી નવેમ્બર ચાચા નેહરૂના જન્મદિવસ નિમિત્તે બાળદીનની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નેહરૂને બાળકો અત્યંત પ્રિય હતા. જેથી ૧૪મી નવેમ્બરને બાળદીન તરીકે ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ભારત સહિત ગુજરાતભરમાં બાળ દીનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટની મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલિત શ્યામ પ્રસાદ મુખરજી શાળા નં.૬૭માં બાળ દીનની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં નાના ભુલકાઓએ મન મુકી ડ્રોઈંગ સ્પર્ધા અને વૃક્ષા રોપણમાં ભાગ લીધો હતો અને બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ બાળ દીનની ઉજવણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.