Abtak Media Google News

ગત ૩૦ નવે.ના રોજ વચનામૃત જયંતિના પરમ પવિત્ર દિવસે રાજકોટ ગુરૂકુલમાં વચનામૃતનું પઠન તથા પૂજન અને આરતી સર્વે સંતો હરિભકતો અને મહિલાઓ દ્વારા કરવામાં આવેલ. પ.પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીએ પ્રવચનમાં કહેલ આ વચનામૃત ગ્રંથે તો ગાગરમાં સાગર સમાવી દીધો છે. આજે ૨૦૦મી વચનામૃત જયંતી છે. વિદ્યાએ મનુષ્યનું ભૂષણ છે. એક સાધે સબ સધાય અને એક ગયે સબ જાય તેવી અજોડ વસ્તુ અધ્યાત્મ છે. પૂ. ગૂરૂવર્ય મહંત સ્વામીના મતે ગાગરમાં સાગરનું દર્શન એટળે વચનામૃત દરરોજ એક વચનામૃત વાંચનનું નિયમ ગ્રહણ કરીને ૨૦૦મી વચનામૃત જયંતી ઉજવવા જણાવ્યં હતુ.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.