Abtak Media Google News

વલસાડ સમાચાર

વલસાડ જિલ્લાના ઘરમપુર તાલુકાના એક ગામમાં અંધશ્રદ્ધાના પગલે સ્કૂલમાં તાંત્રિક વિધિની ઘટના સામે આવી છે. સાદડપાડા સ્કૂલમાં રસોઈયા ગણજુભાઈ ભોયાએ સ્કૂલના પરિસરમાં ભૂવા બોલાવી વિધિ કર્યાનો એસ.એમ.સી સભ્ય દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે.Screenshot 12 1

શાળાને જમીનદાનમાં આપનાર પરિવાર દ્વારા શાળા પરિસરમાં મેલી વિધિ કરી અને મરઘા, બકરાની બલી ચઢાવવામાં આવી હોવાના આરોપ લગતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, પ્રાથમિક શાળામાં રસોયા તરીકે ફરજ બજાવતા ગંજુભાઈ ભોંયાએ બે ભગત ભુવા બોલાવીને તાંત્રિક વિધિ કરવી હતી. આ વિધિ દરમિયાન 25 નાળિયેર 12 મરઘા અને એક બકરાની બલિ ચઢાવવામાં આવી હોવાનો આરોપ લગાવમાં આવ્યો છે. દિવસ દરમિયાન શાળા પરિસરમાં ખાડાઓ ખોદી વિધિ કરી હોવાનો એસ.એમ.સી કમિટીના સભ્યોએ દાવો કર્યો છે. મુખ્ય વાત એવી છે કે નગડધરી ગામની પ્રાથમિક શાળાની જમીન કે જે રસોયાના પરિવારે દાનમાં આપી હતી. આથી તેઓ શાળાને તાળા મારી દેવાની ધમકી આપી અને શાળા પરિસરમાં મેલી વિધિ કરાવી હોવાનું ગામની કમિટીના સભ્યોએ આરોપ લગાવ્યો છે. જો કે હજુ સુધી આ મમલે કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

રામ સોનગઢવાલા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.