Abtak Media Google News

કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાશ નકુમ લોકસેવામાં સફળ પૂરવાર થશે માટે કોંગ્રેસને મત આપવા મારી નમ્ર અપીલ છે: શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરૂ

વોર્ડ-૪માં મતદારોનો મત એળે નહી જાય, લોકોને અફસોસ નહી થાય, લોકોના પ્રશ્ર્નો માટે કોંગ્રેસના કૈલાશ નકુમ સતત લડતા રહેશે. લોકો માટે જજુમતા રહેશે. લોકસેવામાં સફળ રહેશે. તેવો મને વિશ્ર્વાસ છે. અને લોકોને કોંગ્રેસ તરફથી ખાતરી આપું છું તેમ પૂર્વ ધારાસભ્યશ્રીએ અને રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી ઈન્દ્રનીલભાઈ રાજગુરૂએ જણાવ્યું છે.

કોંગ્રેસના કોર્પોરેટર સ્વ. પ્રભાતભાઈ ડાંગરએ વિકાસની જયોત પ્રગટાવી હતી. લોકપ્રશ્ર્નો માટે સતત કાર્યશીલ હતા તેવી જ રીતે કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાશ નકુમ પણ સ્વ. પ્રભાતભાઈ ડાંગરના પગલે ચાલશે અને લોકપ્રશ્ર્નોના કામ માટે સતત કાર્યશીલ રહેશે. લોકોની વચ્ચે ૧૦૮ બનીને ઉભા રહેશે. કોંગ્રેસના ઉમેદવાર કૈલાશ નકુમ નિષ્ઠાવાન અને લોકપ્રવૃત્તિ માટે ખંતીલા વ્યકિત છે. કે વસ્તીનાં બદલે વ્યકિતના ગુણને ધ્યાનમાં રાખી પ્રમાણિક એવા કૈલાશભાઈ નકુમની કોંગ્રેસ સમિતિએ પસંદગી કરી છે. અને તે લોકસેવક તરીકે પૂરવાર થશે. કોંગ્રેસ સમિતિએ હરહંમેશ સારા, સાચા, નિષ્ઠાવાન ઉમેદવારો પસંદ કર્યા છે. ત્યારે નિડર સ્વચ્છ પ્રતિભા અને પ્રમાણિક ઉમેદવારને મત આપવો એ લોકોની પણ ફરજ છે. માટે કોંગ્રેસને મત આપવા અને કોંગ્રેસના યુવા ઉમેદવારને લોકસેવાની તક આપવા નમ્ર અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.