Abtak Media Google News

જિન શાસનનો ડંકો વગાડનાર

પૂ. ગુરૂદેવ ધીરજમુનિ મ.સા. હાલ બેગ્લોરમાં બિરાજમાન ટૂંક સમયમાં ચેન્નાઈ વિહાર કરશે

42 વર્ષના સંયમ પર્યાયમાં સૌરાષ્ટ્ર,મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ અને પૂર્વ ભારત સહિત અનેક નાના – મોટા ક્ષેત્રોમાં વિચરણ કરી જબરદસ્ત શાસન પ્રભાવના સાથે ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનનો ડંકો વગાડ્યો છે.સૌરાષ્ટ્રના ભાણવડ તાલુકાના ખોબા જેવડા જશાપર ગામમાં રત્નકુક્ષિણી માતુશ્રી શાંતાબેન તથા ધમે પરાયણ પિતા પોપટભાઈ ઝીણાભાઈ મણિયાર પરીવારના ખમીરવંતા ખોરડે એક બાળકનું અવતરણ થયું.

મણિયાર પરિવારના ચાર સંતાનો મનહરભાઈ, નવીનભાઈ, જશવંતભાઈ અને સૌથી નાના સૌના વ્હાલા ધીરજભાઈ.

પુત્રના લક્ષણ પારણામાં તેમ આ બાલૂડાનો જન્મ થતાં જ સવેત્ર આનંદ – હષે છવાઈ ગયો.સમગ્ર માહોલ ધમેમય બની ગયો.મણિયાર પરિવાર એટલે સુખી સંપન્ન પૂણ્યશાળી પરીવાર.ધોમ – ધોમ સાહેબી વચ્ચે તેઓનો ઉછેર થતો હતો, પરંતુ સુખ સાહેબીને ઠોકર મારી માત્ર 24 વષેની ભર યુવાન વયે સ્વેચ્છાએ પ્રભુ મહાવીરનો કઠોરતમ ત્યાગ માગે અંગીકાર કરવાનો સંકલ્પ જાહેર કર્યો.

ગૃહસ્થાશ્રમમાં રહીને પણ તેઓએ સુધર્મ પ્રચાર મંડળમાં બેજોડ શાસન પ્રભાવના કરેલ.

મણિયાર પરીવારના મોભી 500 વીઘા જમીનના માલિક અને સતત 50 વષે સુધી જશાપર ગામમાં સરપંચ પદે રહી ગામજનોની નિષ્ઠાપૂવેક સેવા પ્રદાન કરનાર એવા પિતા પોપટભાઈએ જોમ – જુસ્સાસભર અને ખુમારી સાથે જણાવ્યું કે જો દિકરો ભર યુવાન વયે સંયમ માર્ગે જવા તત્પર બનેલ હોય તો હું પણ સંયમ લેવા તૈયાર છું.

ઉપલેટાની પૂણ્ય અને પાવન ભૂમિ ઉપર તા.15/2/1982 સોમવારના શુભ દિવસે 80 વષેના પોપટભાઈ અને 24 વષેના ધીરજકુમાર એટલે

પિતા – પુત્ર ” બંનેની એક સાથે સાદાઈથી છતાં ગરીમાપૂણે અને જાજરમાન દીક્ષા મહોત્સવ ઉપલેટામાં ઊજવાયેલ.

દીક્ષા મંત્ર – કરેમિ ભંતેનો પાઠ જ્ઞાન ગચ્છ સંપ્રદાયના પૂ.મહાત્માજી મ.સા.એટલે કે પૂ.જયંત મુનિ મ.સાહેબે ભણાવેલ.વડી દીક્ષા સંપ્રદાયનું વડું મથક ગોંડલ મુકામે ઉજવાયેલ.

દીક્ષા સમયે ચતુર્વિધ સંઘના શબ્દો હતાં કે આ આત્માઓ ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનને ગૌરવાન્તિત કરશે..એ વાક્યો આજે સાચા પડી રહ્યાં છે.

પૂ.ધીર ગુરુદેવમાં  વીરતા,ગંભીરતા, સહનશીલતાનો ત્રિવેણી સંગમ રહેલો છે. પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સૌ માટે પ્રેરણા સ્તોત્ર છે,જે કાયે હાથમાં લે છે તે અવશ્ય પૂણે કરે છે. જૈન મુખપત્ર શાસન પ્રગતિના તંત્રી રજનીભાઈ બાવીસીએ જણાવ્યું કે પૂ.ગુરુદેવની શાસન પ્રત્યેની રૂડી ભાવના કે તીથઁકર પરમાત્માની અણમોલ વાણી જન – જનના મન – મન સુધી પહોંચે તે હેતુથી પૂ.ગુરુદેવના અનુગ્રહથી બહુશ્રુત આચાર્ય ભગવંત પૂ.જશાજી સ્વામીની સ્વગોરોહણ શતાબ્દી સ્મૃત્યર્થે  જૈન આગમોનું પ્રકાશન કાયેમાં પૂ.ધીર ગુરુદેવે અનુગ્રહ પ્રદાન કરી અનંતો ઉપકાર કર્યો.

*એડવોકેટ કમલેશભાઈ શાહે* જણાવ્યું કે પૂ.ધીર ગુરુદેવના દો ફરમાન જ્ઞાન દાન..શય્યાદાન પૂ.ધીરગુરુની પ્રેરણાથી અનેક શાતાકારી ધમે સ્થાનકોનું નિમોણ થયું તથા જિર્ણોદ્ધારના સુકાયે થયા.

પૂ.ધીર ગુરુદેવે વૈયાવચ્ચ ગુણધરાણં નમો નમ : સૂત્ર ને ચરિતાર્થ કર્યું છે. હાઈ – વે ઉપર ધમે સ્થાનક,ઉપાશ્રય,આયંબિલ ભવનો હોય તો ચતુર્વિધ સંઘને શાતા રહે એવમ્ પૂ.સાધ્વીજીઓની વિશેષ સુરક્ષા રહે તેવા શુભ આશ્યથી અનેક ધમે સંકુલોના નિમોણ અને નૂતનીકરણ,જિર્ણોદ્ધારમાં તેઓએ દાતાઓને પ્રેરણા કરી સંયમી આત્માઓના સંયમ જીવનમાં સહાયક બન્યાં છે.

સેવાભાવી ડો. સંજયભાઈ શાહે જણાવ્યું કે પૂ.ગુરુદેવની પ્રેરણાથી આરુગ બોહીલાભં ના શુભ ભાવ સાથે રાજકોટ વૈશાલી નગર 5 ખાતે લોકોના નાદુરસ્ત આરોગ્ય સમયે સૌનો ઝડપથી અને યોગ્ય ઉપચાર થાય તે માટે લેટેસ્ટ સાધનો દ્રારા અને એ પણ વ્યાજબી ચાર્જથી થાય તે માટે એસ.બી.દોશી મેડિકલ સેન્ટરની પણ સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે.

ઘાટકોપર સંઘના ટ્રસ્ટી મુકેશભાઈ કામદારે જણાવ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સદા ચતુર્વિધ સંઘની ખેવના કરતાં હોય છે.પૂ.સાધુ – સાધ્વીજીઓને સંયમ જીવનમાં સહાયક બનાય અને તેઓને શાતા ઉપજે તે લક્ષે નાના – મોટા અનેક ક્ષેત્રોમાં પાટ – પાટલા ઉપલબ્ધ કરાવ્યા.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ને વૈરાગી અને સંયમી આત્માઓ પ્રત્યે અનહદ લાગણી છે.અનેક આત્માઓને દીક્ષાના દાન આપી શાસનને જીવંત રાખવામાં પૂ.ગુરુદેવ અજોડ કાયે કરે છે.કોઈ પણ સંપ્રદાયમાં કોઈ હળુ કર્મી આત્મા સંયમ ધમેને અંગીકાર કરવાના ભાવ ધરાવે તો પૂ.ગુરુદેવ દીક્ષાના દાન દેવા પહોંચી જાય છે અને જિન શાસનની અપૂવે શાસન પ્રભાવના કરે છે.

પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ના જન્મ દિન અવસરે કોટિ કોટિ વંદન સહ અભિનંદન સાથે શુભ ભાવના ભાવીએ કે..

*ગુરુદેવ ! આપશ્રી શીઘ્રાતિ શીઘ્ર અજન્મા પદને પ્રાપ્ત કરો…*

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.